________________
શુભભાવ છે. શુભભાવ ધર્મ નથી પણ તેનો છેદ અને શુદ્ધતા તે ધર્મ છે એમ નીચેની ગાથામાં કહ્યું છે.
વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦
(૧૦) વિનય બે પ્રકારે છે. ૧. વીતરાગી વિનય, ૨. સમ્યગુ દૃષ્ટિનો સરાગ વિનય.
જે સદ્ગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન - ૧૯
આ ગાથામાં વીતરાગી વિનય બતાવ્યો છે. આ વિનયમાં વંદ્યવંદકભાવ હોતો નથી. બીજા પ્રકારનો વિનય ચોથાથી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી હોય છે ત્યાર પછી હોતો નથી; કેમકે સાતમાં ગુણસ્થાને કે તેથી ઉપરની દશામાં વંદ્ય-વંદકભાવ હોતો નથી, કારણ કે ત્યાં ફક્ત અંતર્મુખપણે સ્થિતિ રહેલી છે તેથી તે થઈ શકે તેમ જ નથી.
(૧૧) સ્વાધ્યાય કરનારને ભલામણ : શાસ્ત્રના ભાવ બરાબર સમજીને સ્વાધ્યાય કરવો. જો તેમ કરવામાં ન આવે તો અને માત્ર શબ્દો જ બોલી જવામાં આવે તો આત્માને ધર્મનો લાભ કેવી રીતે મળે? માટે ખાસ લક્ષમાં રાખવું અને સમજણ વધારતાં જવી એ જ કર્તવ્ય છે.
*- -*
આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૮૪ %