SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક વાર મળવા છતાં કાર્ય થયું નથી, તે જ બતાવે છે કે પોતે ભગવાન કે ગુરુની વાણીની સન્મુખ થયા વગર સાંભળ્યું તેથી પરિણમન ન થયું. હવે યોગ મળ્યો છે તો પોતાના ઉપાદાનને નિમિત્તની સન્મુખ કરી કાર્ય કરી સંસારથી અસંગ બની જવું અને ચાલ્યા જવું. જો પોતાને જણાય કે હું સંસારની બેડીથી મૂંઝાયો છું, મારે તેને તોડવી છે તો તે તોડવાનો માર્ગ મેળવ્યા વગર રહેતો નથી અને જો છૂટવાની ખરી ઝુરણા પ્રગટી હોય તો તે છૂટ્યા વગર રહેતો નથી, પણ હજી પોતાને અંદરથી ખરી લગની લાગી નથી, તીવ્ર તાલાવેલી થવી જોઈએ. સાધક દશામાં પોતાનો આત્મા જ તેને આશ્રયભૂત છે. તેને આત્માના આશ્રયથી જ સંવર અને નિર્જરા થાય છે. રત્નત્રય આત્માના આશ્રયે પ્રાપ્ત થાય છે. બાહ્ય ભૂમિકા પ્રમાણે અણુવ્રત કે મહાવ્રત શુભભાવો હોય, પણ અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે તે આત્માના આશ્રયથી પ્રગટે છે. આત્માનું આલંબન કેવળજ્ઞાન થતાં સુધી રહે છે. કેવળજ્ઞાન થતાં કૃતકૃત્યદશા પ્રગટ થતાં પછી કાંઈ કરવાનું રહેતું નથી. તે આલંબન સહજ પરિણતિરૂપે આત્મામાં આત્મારૂપે પરિણમી જાય છે. સહજ દશા થતાં આલંબનનો આશ્રય કે તેને અનુલક્ષી પ્રયત્ન કરવાનો રહેતો નથી. આલંબન જ સહજરૂપે પરિણમી જાય છે. રાગ અને જ્ઞાન બન્ને જુદાં છે, કારણ કે જાણવાનો સ્વભાવ પોતાનો છે અને રાગ છે તે વિભાવ હોવાથી પોતાનો નથી; જ્યારે પર્યાય છે તે કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ ભિન્ન અને અભિન્ન છે. તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. રાગ વિભાવ હોવાથી તેને સર્વથા ભિન્ન જાણે છે અને પર્યાય કથંચિત્ ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે, તેમ જ જાણે. પર્યાયમાં ભાગ પડતા નથી, તેના જ્ઞાનમાં તે પર્યાયને જાણે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે, ને પર્યાયને ગૌણ કરે છે. જેવો વિભાવ અને સ્વભાવનો ભેદ પડે છે, તેવો પર્યાય અને સ્વભાવનો ભેદ પડતો નથી, કેમકે પર્યાય કથંચિત અભિન્ન છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ પ૬ %
SR No.005957
Book TitleAatmgnanno Purusharth
Original Sutra AuthorN/A
AuthorRasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy