SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી થયા છે. જ્યાં સુધી પોતાનો આત્મા પોતે છૂટો પડીને સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવતા રહેવાનું છે.. સમ્યગદર્શન પામ્યા પહેલાં અને પછી પણ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવ્યા કરવાનું છે. આ એક જ ઉપાય છે. અધૂરી દશામાં - પૂર્ણ ન થાય ત્યાં સુધી અણુવ્રત, મહાવ્રત, દેવશાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે શુભભાવો તેમજ સમ્યગદર્શનના આઠ અંગરૂપ વ્યવહારિક ભાવો આવે છે, તે બધું સાથે હોય છે; પણ મોક્ષનો ઉપાય તો અંતરમાં એક સમ્યગદર્શનની સહજ ધારા ચાલે છે તે છે. સમ્યગુદૃષ્ટિને સહજ જ્ઞાનધારા ચાલે છે અને તે સહજ પુરુષાર્થથી ચાલે છે. આત્મા આત્મામાં ઠરી ન જાય ત્યાં સુધી ધારાવાહીપણે ભાવવું. વિભાવ-શુભાશુભભાવ વચ્ચે આવે તેમાં રોકાઈશ નહિ, અંદર સાધનાને કારણે જે પર્યાયો (દર્શાવો) પ્રગટે તેમાં પણ રોકાઈશ નહિ અને અનેક જાતના ભેદો આવે તેમાં પણ રોકાઈશ નહિ. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તે રસ્તે જવાથી તને શુદ્ધતાની પર્યાય પ્રગટ થશે. ગુરુ રસ્તો બતાવે પણ પુરુષાર્થ તો પોતાને કરવાનો છે. સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે બધા ઉપરથી દષ્ટિ ઉઠાવી એક ચૈતન્ય ઉપર દૃષ્ટિ કરવાની છે, ભેદજ્ઞાન તીવ્ર કરવાનું છે. આમ થતાં આનંદનો સાગર ઊછળશે. શાંતિનો સાગર, જ્ઞાનનો સાગર તેમાં ભર્યો છે. તેમાંથી જ શાંત દશા અને જ્ઞાન આવિર્ભાવ પામશે. આમ વારંવાર દૃષ્ટિ, જ્ઞાન અને લીનતા ઉપર કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે. રાગમાં એકત્વ બુદ્ધિ થાય ત્યારે વિચારવું કે આ રાગ તે મારો સ્વભાવ નથી. હું તો તેનાથી જુદો અને જાણનારો છું. રાગ - વિભાવ ભાવ છે તે આકુળતારૂપ છે, તે આકુળતાથી જુદો રહેનારો જે શાંત સ્વરૂપ છે તે “હું છું. એવી જ રીતે કોઈ પણ બાહ્ય ક્રિયા કરતાં તે બધી ક્રિયાથી હું જુદો છું અને ખાવા-પીવાની ક્રિયા થાય છે તે પુદ્ગલ પર્યાયો, તેમાં રાગ આવે છે આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૪ર
SR No.005957
Book TitleAatmgnanno Purusharth
Original Sutra AuthorN/A
AuthorRasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy