________________
૨૮૭
૧૬. કઈ ઇન્દ્રિયને આધીન થવાયું? ૧૭. કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યો? ૧૮. કયો ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યો? ૧૯. કયો દુર્ગુણ છોડવા પ્રયાસ કર્યો? ૨૦. કેટલી વાર એક આસને બેઠા? ૨૧. કેટલી વાર બીજાનું કામ કર્યું? ૨૨. કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી? ૨૩. કેટલો ટાઈમ વાતોમાં ગયો? ૨૪. કેટલી વાર દેવવંદન કર્યું? ૨૫. ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા? ૨૬. ગોચરી વાપરવામાં કેટલા દોષ લાગ્યા? ૨૭. ગોચરી આપવા લેવામાં કેટલી માયા કરી? ૨૮. કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યો? ૨૯. આહાર-પાણીની કેટલી ઉણોદરી કરી? ૩૦. કેટલી વિગઈ ત્યાગ કરી? ૩૧. જરૂર વગરની કેટલી વિગઈ વાપરી? ૩૨. દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા? ૩૩. જરૂરી વિગઈ વાપરતા કેટલો રાગ કર્યો? ૩૪. વિગઈ વાપરતા વડીલોની આજ્ઞા લીધી કે નહિ? ૩૫. પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ?
આવી જાતની સદ્વિચારણાથી સાધુ જીવન ઉચ્ચકોટિનું બને છે. | (પરિશિષ્ટ-૧ થી ૫ પૂ. પાદ પં.પ્રવર શ્રી ને વિ અભયસાગરજી ગણિવરકૃત “મંગળ સ્વાધ્યાયમાંથી ઉદ્ભૂત) |
EASAPPLE APPSESS