________________
૨૫૩
समाधिसाम्यास्तवपुर्ममत्वाः, मत्वा स्वभावं धृतशुद्धसत्त्वाः । न सेहिरे ऽर्ति किमु तीव्रयन्त्रनिष्पीडिताः स्कन्दकसूरिशिष्याः ॥ २५६॥
સમાધિની સમતાથી જેમણે શરીરની મમતાનો નાશ કરી નાંખ્યો, જેમણે સ્વ-ભાવને જ માન્ય કર્યો, જેમણે શુદ્ધ સત્ત્વને ધારણ કર્યું, તે સ્કન્દકસૂરિજીના પાંચસો શિષ્યો જ્યારે તીક્ષ્ણ યંત્રમાં પીલાયા ત્યારે તેમણે જે અતિ ભયંકર પીડાને સહન કરી તેમાં એકની એક સમતા જ કારણ ન હતી શું ? સમતાને સિદ્ધ કર્યા વિના આવી ઉગ્ર પીડા શે સહી શકાત ?
असंभाविनोऽपि वस्तुनः कथञ्चित्संभवो भवति ।
અસંભવિત વસ્તુનો પણ કોઈવાર સંભવ
થાય છે.