________________
Kas
શબ્દદેહે આજે પણ ગુરુમૈયા ભક્તહૃદયમાં જીવંત છે
સમસ્ત મહાજનવાળા પરમ ગુરુભક્ત સુશ્રાવક ગિરીશભાઈના સમાચાર આવ્યા કે, એક શ્રાવકને પૂ. ગુરુમૈયાની ‘વિરાગ વેલડી’ પુસ્તકની ૨૦૦ નકલ જોઈએ છે. એ ભાઈ સાથે સમ્પર્ક કરજો. મુંબઈ વાલકેશ્વરમાં રહેતા સુશ્રાવક વિક્રમભાઈએ મને જણાવ્યું કે ૨૦ દિવસ પછી સાયલામાં ૨૦૦ મુમુક્ષુઓનું શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમમાં મિલન છે. દરેકને આ વિરાગ વેલડી’ના શ્લોકોનું પઠન કરાવવું છે.
એક પણ નકલ હાજર ન હતી. ૨૦ દિવસમાં પુસ્તક તૈયાર કરવું મુશ્કેલ હતું, પણ જય જિનેન્દ્ર ગ્રાફીકસવાળા નિતીનભાઈ શાહે એ બોજો દૂર કરી દીધો. મને પ્રુફ તપાસતાં આવડે નહિ— આ બોજો પણ વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. ભગ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે હળવો કરી આપ્યો. મુનિશ્રી રાજપ્રેમવિજયજી મ.સા. તથા મુનિશ્રી જિનપ્રેમવિજયજી મ.સાહેબે એ સાવંત પ્રુફ તપાસી આપ્યું. તેમના ઉપકારનું સ્મરણ આ ક્ષણે કરું છું. -
દેહથી વિદેહ થયેલા પૂજ્ય ગુરુમૈયા આજે શબ્દદેહે જીવંત છે. પૂ. ગુરુમા કહેતા હતા કે “મારા પુસ્તકો એ મારા શિષ્યો છે. મારા ગયા પછી આ પુસ્તકો ઘણું કામ કરશે.” પ૨મ કરૂણામય પૂ. ગુરુમૈયાએ પોતાના સાહિત્ય વારસાના સંવર્ધનની જવાબદારી મને સોંપી છે. પૂ. ગુરુમૈયાના અંતરના આશિષ આ કાર્યમાં મને સતત સહાયક બને એજ અભિલાષા.
વિ.સં. ૨૦૭૦, જે.સુ.દશમ
પૂ.ગુરુમૈયાની ૩૫મી માસિક તિથિ મુનિ હંસબોધિવિજય