________________
૨૯૪
, શ્રાવક કવિ ઋષભદાસકૃત
શ્રીગુરુ કહે સ્વામી ! અવધારિ, જબ રોગીલો સુત ઘરબારિ;
ત્યારે વહિરાવ્યો બલ કરી, ગયો રોગ તવ વળગી ફરી. ૨૫૭૮ બોલી વઈરસ્વામીની માય, જોરે દીક્ષા કિમ દેવાય;
ત્યારે બોલ્યો પૃથવીપતિ, મ વઢો નારી મુનિવર યતિ. ૨૫૭૯ વાઈરસ્વામિને તેડો અહિં, ખુસી થઈ એ જાયે જહિં;
લેઈ જાઓ તે કુમર જ તણે, પૃથવપતિ મુખે એહવું ભણે. ૨૫૮૦ માતા સજ થઈ તેણે ઠામ, લાવી રમકડાં રમવા કામ;
મૂક્યાં સુખડી વસ્ત્ર અનેક, વયર પુંઠલો ધરી વિવેક. ૨૫૮૧ સિંહગિરિ ઓઘો મુકેહ, વઈરસ્વામિ જઈ વેર્ગે લેહ;
જાતિસમરણ જ પોતે સાર, પાલણે ભણીઓ અંગ ઇગ્યાર. ૨૫૮૨ તે સંસારે રહે નહિ રતિ, સિંહગિરિકે હુઓ યતિ;
ઠંડિલ ગુરુ પોહોતા એકવાર, ઉપાશરે રહ્યા વઈરકુમાર. ૨૫૮૩ ઉપધિ સાધની માંડી હાર, દીયે વાચના વારોવાર;
ગુરુ દેખે મન હરખ અપાર, એતો સારદનો ભંડાર. ૨૫૮૪ અનુકરમેં ગચ્છનાયક થયો, દસપૂર્વધરનો નાયક કહ્યો;
કાને સુંઠ રહી એક વાર, લહી પ્રમાદ કર્યો વિચાર. ૨૫૮૫ આઉટ્યો દુનિમેં દુરભય કાલ, કીજે કાંઈ આતમ સંભાલ; | દુરભખ્ય કાલ અનુકરમેં હોય, દોહિલો આહાર મલે સહુકોય. ૨૫૮૬ વયરસ્વામિ ચેલાને કહે, અરીખણી વિદ્યા મુજ છે;
કોહો તો લેઈ આપું આહાર, પણ તુહ્મ સંયમ હોયે છાર. ૨૫૮૭ પાપભીરુ બોલ્યો તે યતી, એહવા આહાર તણો ખપ નથી;
વયરસ્વામી તવ અણસણ કરે, પુંઠે પંચસયાં આદરે. ૨૫૮૮ વજસેન (૧૪) પાટે ચૌદમેં, ચંદ્રસૂરિને (૧૫) સહકો નમે;
સામંતભદ્રની (૧૬) કીજે સેવ, તાસ પાટે હુઓ વૃદ્ધદેવ. (19૫૮૯ તસ પાટે પ્રદ્યોતનસૂરિ(૧૮), માનદેવથી(૧૯) માન જ દૂરિ; *
માનતુંગ(૨૦) ને વીરાચાર્ય(૨૧), જયદેવે(૨૨) કીધા શુભ કાર્ય. ૨૫૯૦ તસ પાર્ટી હુઓ દેવાનંદ(૨૩), વિક્રમસૂરિ(૨૪) દીઠે આનંદ;
નરસિંહસૂરિ(૨૫) હુઓ પછી વળી, સમુદ્રસૂરિની મતિ(૨૬) નિર્મળી. ૨૫૯૧
પા. ૨૫૮૦.૨ તણાં ૨૫૮૧ બીજી પંક્તિ નથી. ૨૫૮૫.૧ જ્ઞાયક કહ્યો ૨૫૮૬.૨
આહાર ટિ. ૨૫૮૪.૧ ઉપધિ = સાધુનું આસન ૨૫૮૫.૧ દસપૂર્વધરનો નાયક = દશપૂર્વધરના જ્ઞાતા
(પાઠાંતરમાં “નાયકાને સ્થાને “જ્ઞાયક' છે.) ૨૫૮૬.૧ આઉટ્યો = ઊલટ્યો, પ્રગટ થયો., ૨૫૮૬.૨ દુરભખ્ય કાલ = દુષ્કાળ ૨૫૮૭.૧ અરીખણી = આકર્ષિણી વિદ્યા.