________________
૨૯૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સૂર્યદેવસૂરિ (૩૮), યશોભદ્રસૂરિ (૩૯), મુનિદેવસૂરિ (૪૦), અજિતસૂરિ (૪૧), વિજયસિંહ (૪૨), સોમપ્રભસૂરિ (૪૩), જગચંદ્રસૂરિ (૪) પાટે થયા. જગચંદ્રસૂરિ દેવેન્દ્રસૂરિ (૪૫)ને પાટે સ્થાપીને ખંભાત આવ્યા. વસ્તુપાલ તેમને વંદન કરવા ગયા. તેમનો મહેતો વિજયચંદ્ર હતો. તેણે પૈસા ખોયા કે ચોર્યા તેથી વસ્તુપાલે તેને પકડ્યો. તેજપાલની પત્ની અનુપમાદેવીએ કહ્યું “એને છોડી દો. આ તો આપણા ઘરનો મહેતા છે.” પણ વસ્તુપાલ એ માનતા નથી. ત્યારે અનુપમાદેવીએ વિચાર્યું કે દેવભદ્ર ઉપાધ્યાયને વાત કરું ને એમના કહેવાથી કદાચ મહેતાને છોડી દે. તેણે ઉપાધ્યાયને કહ્યું. ઉપાધ્યાયે વસ્તુપાલને કહ્યું કે અમે બધા તમને વિનંતી કરીએ છીએ કે મહેતાને છોડી દો. વસ્તુપાલ કહે, “એણે ઘણું વિપરીત કર્યું છે. એના પાપનો પાર નથી. એને હું છોડું નહીં. પણ એ જો દીક્ષા લઈને હંમેશાં તેનું પાલન કરવાનો હોય તો છોડી . દઉં.” મહેતાને પૂછતાં તે કબૂલ થયો. તેણે દીક્ષા લીધી. થોડા દિવસમાં એણે સારો શાસ્ત્રાભ્યાસ કર્યો. મીઠી વાણીથી તે વ્યાખ્યાન આપે છે તે સહુ રસથી સાંભળે છે. ઘણા લોકો એમના રાગી થયા. કવિ કહે છે વચન – વાણીનો આવો મહિમા છે.
દુહા)
ગછ ગુણ શાન વધારતો, કરતો ચઢતાં કામ; સકલ પાટ દીપાવીઆ, રાખ્યું હીરનું નામ. ૨૫૫૬
(ચોપાઈ) અઠાવનમિ પાર્ટ હિર, પ્રથમ હુઓ જિન શ્રી મહાવીર;
વીર પધાર્યા મુગતિ મઝારી, સ્વામી સુધર્મા (૧) તેણે ઠાર. ૨૫૫૭ બીજે પાટે તે બૂસ્વામી (૨), કુમરી આઠ તજી
કોડિ નવાણું કંચન તજે, જૈન રૂપિણી દીખ્યા ભજે. ૨૫૫૮ પ્રભવસ્વામિ (૩) ત્રીજે પાટે જુઓ, પંચસયાંસું મુનિવર હુઓ;
આવ્યો તો ધન લેવા કામે, દેવે થંભ્યો તેણે ઠામે. ૨૫૫૯ જબૂનિ ભાખે તે ભીઓ, બે વિદ્યા માટે એક દીઓ;
જંબૂ કહે એવી કલા કસી, માહારે ધર્મકલા મન વસી. ૨૫૬૦ ઋદ્ધિ રમણી ભૂષણ કોઠાર, ઠંડી લેમ્યું સંયમભાર;
ભાખે પ્રભવો કસ્યો વિયોગ, કાંઈ છેડે તું પામી ભોગ. જંબૂ કહે પ્રભવા સુણ કાન, એ સુખ મધુબિંદુઆ સમાન;
દુઃખ તણો ન લાધે પાર, જીવ સંસાર ફરે ગતિ આર. ૨૫૬૨ એણે વચને પ્રભાવો જેહ, કિમ મુકસે નવ રંગ સનેહ, જંબૂ કહે સગપણ સંસાર, હુઆ અનંતિએ કેવાર.
૨૫૬૩
૨૫૬૧
પા. ૨૫૫૮.૧ તજી તેણિ ઠામી