________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૫૯
એકસો સાઠિ પંડિતપદ દીધ, સાઠ વિઝાય ગુરુ હરિ કીધ; વિમલહર્ષ ઉવઝાય ખાસ, શ્રીમાલી દેવાસે વાસ.
૨૨૮૪ કલ્યાણવિજય ઉવઝાય વલી જેહ, પ્રાગવંશ વસો કહું તે; શાન્તિચંદ મોટો ઉવઝાય, શ્રીમાલી વંશે કહેવાય.
૨૨૮૫ પુણ્યવિજય ઉવઝાય જેહ, વીસલનગરનો વાસી તેહ;
સોમવિજય થાપ્યો ઉવઝાય, ભાણચંદના સહુ ગુણ ગાય. ૨૨૮૬ સુમતિવિજય હુઓ ગુણખાણી, શાંતિસાગર કરિ આઠ જ જાણી; આચાર્યપદ થાણું એક, વિજયસેનસૂરિ વડો વિવેક.
૨૨૮૭ દેહરાસર જિન મંદિર સંચ, ગુરુ ઉપદેશ દુઆ સય પંચ; બિંબપ્રતિષ્ઠા કરી પંચાસ, તે શ્રાવક ઘરિ કમલાવાસ. ૨૨૮૮
સંઘવી ઉદયકરણે હીરગરને હાથે જિનપ્રતિષ્ઠા કરાવી. તે વખતે ઓગણીસ મુનિઓને પંન્યાસપદ તથા સુમતિવિજયજીને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. શાહ મૂલજીએ પ્રતિષ્ઠા કરાવી. તથા ઝવેરી કુંવરજી, સોની તેજપાલ, રાયમલ્લ, આસપાલ સવીર, ભારમલ, થાનસિંગ, માનું કલ્યાણ, દુર્જનમલ – આ બધા શ્રાવકોએ ઘણું ધન વાપર્યું. ગોના કકૂ અને મેઘ પ્રમુખ શ્રાવકે ઘણી પ્રતિષ્ઠા કરાવી. સોની તેજપાલે મોટાં મંદિર કરાવ્યાં. વજિયા-રાજિયાએ મોટાં ચૈત્યો બંધાવ્યાં. શાહ રામજી વર્ધમાન, મૂલો કુંવરજી, તથા અબજીએ પણ મંદિર કરાવ્યાં. શાહ હીરાએ નવાનગર – જામનગરમાં જિનપ્રાસાદ કરાવ્યો. કુંવરજી બાડુઆએ કાવીમાં, શાહ લહુજીએ ગંધારમાં, શાહ હીરાએ ચીઉલમાં જિનમંદિરો કરાવ્યાં. આ ઉપરાંત, લાહોર, આગ્રા, મથુરા, માલપુર, ફત્તેપુર, રાધનપુર, કલિકોટ, માંડવગઢ, રામપુર, ડભોલ વગેરે ગામોમાં દહેરાસરો થયાં. ભારમલશાહે વિરાટમાં, વસ્તુપાળે શિરોહીમાં, વછરાજ અને શાહ રૂપાએ રાજનગરમાં, કકૂ શાહે પાટણમાં, ધનજીવધૂએ વડલી અને કુણઘેરમાં, શ્રીમલ, કીકા અને વાઘાએ સક્કરપુરમાં દહેરાસરો અને પોષધશાળાઓ બંધાવ્યાં. ઠક્કર (ઠાકર/ઠાકોર ?) જસરાજે અને જસવીરે મહિમુદપુરમાં દહેરાસર બંધાવ્યું અને આબુનો સંઘ કાઢ્યો. બુદ્ધિવાન ઠક્કર લાયે અકબરપુરમાં દહેરાસર-ઉપાશ્રય કરાવ્યાં. ઠક્કર વીરા અને શાહ સોઢાએ પણ જિનભુવન કરાવ્યાં. ગુણવાન કુંવરપાલે દિલ્લીમાં મંદિર બનાવ્યું. આમ તમારા શાસનમાં પાંચસો દહેરાસરો થયાં.
હે હરમુનિશ્વર, તમે આઠ યાત્રાઓ કરી. આબુ, અચલગઢ, રાણકપુર, મેવાડ, ફલવર્ધી, વરતાણા, કુંભલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત અને ગંધાર તીર્થની યાત્રાઓ કરી.
શૌરીપુર, મથુરા, ગ્વાલિયર, ચિતોડ, તારંગાની જાત્રાઓ તેમજ શત્રુંજય અને ગિરનારની બે વાર યાત્રા કરી. અનેક તીર્થોમાં જઈને લાખ બિંબોને વંદન કર્યા. મેઘજી ઋષિને બોધ પમાડી ત્રીસ મુનિઓ સાથે દીક્ષા આપી. તમે અકબર બાદશાહને બોધ પમાડ્યો જે સવાશેર ચકલાંની જીભ ખાતો હતો અને પશુઓનો બાણથી શિકાર કરતો હતો. પણ તે બંઘ કરાવી કુમારપાળ રાજાની જેમ એને જીવદયાપ્રતિપાલક બનાવ્યો.