________________
૧૪૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
વચન તુલ્બારું મસ્તક ઉપર, નહિં પુસ્તકનું કામો;
શેખ અબુલફજલનિ પાતશા, બોલાવે વળી તામો. ૧૨૫૩ કહિ પાતશા શેખ સુણીને, વનતિ હીરકું કીજે;
પુસ્તગ પદમસુંદરકા જેતા, હીર ગુરુ તુમ લીજે. ૧૨૫૪ શેખ અબુલફજલ તવ બોલિ, નહિં તુમ લેણે રાજી;
પુણ્ય કાર્ય લ્યો પુસ્તગ ઈતના, ખુસી હોઈ અકબર ગાંજી. ૧૨૫૫ - હીરગુરુ કહે છે, “કોઈ શ્રાવક વણિકને ઘેર પુસ્તકો મૂકો અને ભંડાર કરો. ત્યાંથી અમારા સાધુઓ ભણવા લેશે. આ પરોપકારનું કામ થશે. ત્યારે દિલ્હીપતિ ખુશ થયો કે હીરસૂરિ સાચા વિરાગી છે. પુસ્તકો પણ શ્રાવકને હાથ સોંપ્યાં. વાણિયા સહુ એકત્ર થઈ મશરૂમાં વીંટીને પુસ્તકો પોષાળમાં લઈ ગયા. ભંભા-ભેરી વાગ્યાં. વાજિંત્રોનો પાર નથી. જયજયકાર વર્યો.
(ઢાળ પર – જોરે જન ગતિ શંભુના – એ દેશી) હર કહિ મુકો વાણિગ ઘરિ, કીજિ ઈહાં ભંડારોજી, યતી અહ્મારા પઢવા લેસ્ય, હોસી પર ઉપગારોજી; હીર કહિ શ્રાવક ઘરિ મુકો.
૧૨૫૬ ખુસી જુઓ દિલીપતિ ત્યારે, હીર સાચો નિરાગીજી;
પુસ્તક દીધો શ્રાવક હાર્થિ, ભંભાભેરી વાગીજી. હીર. ૧૨૫૭ મિલ્યા વાણીઆ મશરૂ ઓઢાડે, વાજીત્રનો નહિ પારો;
પુસ્તગ તબ પોસાલિ આણે, વરત્યો જયજયકારોજી. હીર. ૧૨૫૮
અકબરે હીરગુરુને પ્રશંસ્યા. બાદશાહી વાજાં વાગ્યાં. આખું નગર હરવું. ઘણાં વર્ષે આવો મહોત્સવ થયો અને ઘણું દાન દેવાયું. મહામુનિવરનું આ માન એ ખરે જ જગમાં મોટું આશ્ચર્ય થયું. સઘળા ઉમરાવો આવી પ્રણામ કરવા લાગ્યા. માણસોનો પાર નથી. સર્વત્ર હીર હીર’ થઈ રહ્યું. સાચે જ તેઓ મહાન ભાગ્યશાળી છે.
(ઢાળ પ૩ - દેશી તે ગિરૂઆ ભાઈ. કે) અકબરિ હરમુની જ વખાણ્યો, બોલ્યો વેગિ તામો રે;
વાજા પાતશાઈ તિહાં વાગો, હરનું આખું ગામો રે. અક. ૧૨૫૦ અતિ આડંબર મોહોછવ બહુલા, વરસે સબળું દાનો રે;
હવું આછેરું મોટું જગમાં, મહા મુગતનું માનો રે. અકબરિ. ૧૨૬૦ સકલ ઉમરા નમતા આવી, અવર લોક નહિ પારો રે;
હીર હીર હુઓ જગમાંહિ, એ મહા ભાગદારો. રે એક. ૧૨૬૧
પા. ૧૨૬૦.૨ મહા મુગલ ઘે