________________ 100 શ્રાવક કવિ ઋષભદાસકૃત કહ્યું કે તમારા કરતાં તો અગંધનકુલના નાગ પણ સારા કે જે અગ્નિમાં પડે તોયે વમેલું વિષ પાછું ચૂસતા નથી. ધિક્કાર છે તમને. કૂતરાની જેમ તમે વસેલું ચાટવા તૈયાર થયા છો. એના કરતાં તો મરણ સારું. જો આ રીતે કરશો તો કંડરીકની જેમ નરકમાં પડશો. ત્યાં તમારું કોઈ શરણ થશે નહીં. આ રીતે જ્ઞાનઅંકુશ દ્વારા કામ રૂપ હાથીને વશમાં લે છે અને મનને સ્થિર કરે છે. બીજા સાધુઓએ પણ આ રીતે મનને વાળવું, જેથી શિવપુરીગામી થાય.” (ઢાળ 39 - પદમથરાય વિત– રાગ મારુ) રાહ અમારો દુઃકર જગમાં જાણીતું રે, નહિં પરપ્રાણી ઘાત; સંયમ તપ ચિહું ભેદે ધર્મ આદર્યોરે, દેહી બિન ધર્મન થાત. ભાખે હીરજીરે. 847 દેહી અન્ન વિના તે કેહી પરિ થિર રહે રે, કિમ લીજે અમે આહાર; મધુકરની પરિ ઉદરપૂર્ણા અમો કરું રે, નહિ દુખ પુષ્પ લગાર. ભાખે. 848 કરું ગોચરી નહિ ખરચરી ખાનજી રે, રગતતણો નહિ આહાર; રગતપણું તે દોષ ટાળવા કીજીએ રે, જિમ લવીએ ભવપાર ભા. 849 નાના પ્રકાર વિષય જે રગતપણું ધરે રે, કહ્યું કરે દીક્ષાય; કામભોગની વાંછા જગમાંહિ જે કરે રે, તેહનો સંયમ જાય. ભાખે. 850 સુધા શોભાગી જગમાં જિન તેહનિ કહે રે, જેહનિ ઋદ્ધિ અનેક; છતા ભોગ છાંડીને સંયમ આદરે રે, મોટો તાસ વિવેક ભા. 851 ગ્રહી વરતને વિંછે ભોગ ઈદ્રિ તણો રે, ધરે નારિ પરિ પ્રેમ; માનભ્રષ્ટ જગમાંહિ હોઈ અતિ ઘણું રે, જિમ જગમાં રહેનેમ. ભાખે. ૮૫ર રાજીમતીએ વાર્યો તિહાં રહિનેમજી રે, તુજથી રૂડા સાપ; અગંધનકુળના ઉપનાતે અગિનિ ભખે રે, વિષÚäનલે આપ. ભાખે. 853 તુજ ધિ કારો છંડ્યો સ્વાન પરિગ્રહે રે, તુજનિ રૂડો મરણ; - કુંડરીકની પરિ પડસ્યો નગરમાં રે, તિહાં નહિ કોનું શરણ. ભાખે. 854 જ્ઞાન અંકુશિ કામ કરીને વાળતો રે, નિજ મન આણે ઠામિ, અપરાધ એણી પરિમનને વાળવુંરે, વસીએ શિવપુરગામી. ભાખે. 855 હીરગુરુ કહે છે, “જે બાવન બોલનો ત્યાગ કરે છે તે જ મુનિ કહેવાય છે. 1. આધાકર્મી આહાર ન લે. 2. વેચાતો લાવેલો આહાર ન લે. 3. નિત્ય પિંડ ન લે. 4. આટલું જ લેવું એ પ્રમાણે ન લે. 5. સામે લાવેલો આહાર ન લે. 6. રાત્રિ આહાર ક્યારેય કરે નહીં. 7. સ્નાન-સુગંધ ન કરે. 8. પોતાની પાસે ફૂલ ન રાખે. 9. ગૃહસ્થના પાત્રમાં આહાર ન કરે. 10. રાજપિંડ ન લે. 11. દાનશાળામાં દાન ન લે. 12. તેલમર્દન કરે નહીં. 13. દંતમંજનથી દાંત સાફ કરે નહીં. 14. દર્પણ રાખે નહીં. પા. 852.2 રહનેમિ 854.2 નરકમાં રે 855.1 આકાશે ટિ. ૮પર.૧ રહનેમ = નેમિનાથના ભાઈ