________________
આત્મવિશુદ્ધિ જ ૭૯ રહી શકે છે–રહી જાણે છે.
રોગથી પીડાવા છતાં, યષ્ટિ મુષ્ઠિથી તાડના કરાતાં છતાં અને દોરડાં પ્રમુખથી બંધાયા છતાં આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલવું નહિ. આત્માનું ચિંતન કરનાર ભુખથી, ટાઢથી, તાપથી, તૃષાથી અને આ તાપથી આધ્યાન કરતો નથી, સ્તુતિ કરવાથી તેને હર્ષ થતો નથી, નિંદાથી તેને ખેદ થતો નથી, શુભાશુભ પર દ્રવ્યના આવવા કે જવાથી તેને રાગદ્વેષ થતો નથી, સંપત્તિમાં તેને પ્રમોદ જણાતો નથી ને વિપત્તિમાં તેને શોક થતો નથી.
નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર બીજા લોકોના સમાગમમાં આવે છતાં તે પોતાનું આત્મભાન ભૂલે નહીં. એ ભાન ભૂલાવનાર કારણો–નિમિત્તો છે એમ જાણીને તેને પ્રસંગે વિશેષ જાગૃત રહે છે. આવા વિરોધી પ્રસંગોમાં જાગૃત રહેવાથી અનુકૂળ પ્રસંગોમાં તેની જાગૃતિ ટકી રહે તેમાં આશ્ચર્ય નથી. હે મુમુક્ષુઓ! તમે એટલી બધી જાગૃતિ રાખો, આત્માનું સ્મરણ એટલું બધું વધારો કે કોઈ રોગથી ક્લેશથી કે અનેક મનુષ્યોના સમાગમથી તમારા આત્માનું તમને વિસ્મરણ થાય નહિ.