SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિશુદ્ધિ ભાષા વિના વ્યવહાર થતો નથી એટલે વ્યવહારને ખાતર આ મારૂં છે કે મારાં છે. એમ બોલવું પડે, તેમાં આત્મજાગૃતિ રાખીને મારા, તારાદિ શબ્દોનો વ્યવહાર કરવો પડે, તેમાં અડચણ નથી. પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારૂં કરતાં નવીન કર્મબંધ થાય છે તે અટકાવવાની જરૂર છે. ૪૯ ગöહું અને મમ મારૂં આ મોહ રાજાનો મંત્ર છે, અને તેણે જગને દેખાતી આંખે આંધળું કરી દીધું છે; તેને જીતવા માટે ના ં 7 મમ, હું કોઈનો નથી અને મારૂં કાંઈ નથી. આ મંત્રનો જાપ જ્ઞાનીઓએ બતાવેલો છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બંધાય છે અને હું કોઈનો નથી અને મારૂં કોઈ નથી. આ વિચારવડે જીવ બંધનથી મુક્ત થાય છે. મમતાનો ત્યાગ કરવાના વિચારો કરવા, આત્માનું ધ્યાન કરવું, વ્રતો પાળવાં, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને ઇન્દ્રિયોનો નિરોધ કરવો એવાં એવાં બીજા પણ કાર્યો નિર્મમતામાં વધારો કરનારા છે. જે મહાત્માઓ અચળ મોક્ષપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિર્મમતાનો આશ્રય લઈને જ. જેમ લીલો ચીકાશવાળો માટીનો પીંડો ભીંત ઉપર નાખતાં તે ભીંતની સાથે ચોંટી જાય છે અને સુકો ચીકાશ વિનાનો માટીનો પીંડો તે જ ભીંત સામે ફેંકતા પછડાઈને ભાંગીને
SR No.005935
Book TitleAatmvishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year2013
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy