________________
આત્મવિશુદ્ધિ
ભાષા વિના વ્યવહાર થતો નથી એટલે વ્યવહારને ખાતર આ મારૂં છે કે મારાં છે. એમ બોલવું પડે, તેમાં આત્મજાગૃતિ રાખીને મારા, તારાદિ શબ્દોનો વ્યવહાર કરવો પડે, તેમાં અડચણ નથી. પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારૂં કરતાં નવીન કર્મબંધ થાય છે તે અટકાવવાની જરૂર છે.
૪૯
ગöહું અને મમ મારૂં આ મોહ રાજાનો મંત્ર છે, અને તેણે જગને દેખાતી આંખે આંધળું કરી દીધું છે; તેને જીતવા માટે ના ં 7 મમ, હું કોઈનો નથી અને મારૂં કાંઈ નથી. આ મંત્રનો જાપ જ્ઞાનીઓએ બતાવેલો છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બંધાય છે અને હું કોઈનો નથી અને મારૂં કોઈ નથી. આ વિચારવડે જીવ બંધનથી મુક્ત થાય છે.
મમતાનો ત્યાગ કરવાના વિચારો કરવા, આત્માનું ધ્યાન કરવું, વ્રતો પાળવાં, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને ઇન્દ્રિયોનો નિરોધ કરવો એવાં એવાં બીજા પણ કાર્યો નિર્મમતામાં વધારો કરનારા છે.
જે મહાત્માઓ અચળ મોક્ષપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિર્મમતાનો આશ્રય લઈને જ. જેમ લીલો ચીકાશવાળો માટીનો પીંડો ભીંત ઉપર નાખતાં તે ભીંતની સાથે ચોંટી જાય છે અને સુકો ચીકાશ વિનાનો માટીનો પીંડો તે જ ભીંત સામે ફેંકતા પછડાઈને ભાંગીને