SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આત્મવિશુદ્ધિ ક્લેશ, કષાય, શોક, પરાધીનતા, ભય અને આશા જેવું કાંઈ નથી. કેમ કે તે સર્વે દુનિયાની માયામાં છે, પુગલ દશામાં છે, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં છે. નિશ્ચય નયનું નિશાન એ શુદ્ધ આત્મા જ હોવાથી આત્મામાં આવી અશાંતિ જેવું કાંઈ પણ નથી. - ભક્તોનો સમુદાય, શિષ્યવર્ગ, પુસ્તકાદિ ઉપકરણો, શરીર અને કર્મ સાથે પણ શુદ્ધ આત્માને કોઈ સંબંધ નથી. આ સર્વ પણ વિભાવરૂપ ઉપાધિ હોવાથી તેનો પણ ત્યાગ કરી શુદ્ધ આત્મામાં જ મનનો લય કરવાની જરૂર છે. કેવળ પોતાના શુદ્ધ આત્માને મૂકી કોઈ સ્થળે, કોઈ કાળે, કોઈ પણ પ્રકારે આ શુદ્ધ નિશ્ચયનય બીજાનો સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું અવલંબન લઈને નિશ્ચયમાં તે પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈને નિશ્ચય વર્તતો હોવાથી, તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. | મેલની સોબતથી વસ્ત્ર જેમ મલીન કહેવાય છે, તેમ કર્મના સંબંધથી આત્મા વ્યવહારે અશુદ્ધ છે. તે જ આત્મા નિશ્ચયનયના આશ્રયથી શુદ્ધ છે. અન્ય દ્રવ્ય સાથે મિશ્રણ થવાથી વ્યવહારે સોનું જેમ અશુદ્ધ કહેવાય છે; નિશ્ચય નયની અપેક્ષાએ તે જ શુદ્ધ કહેવાય છે. બહારથી જે વસ્તુ આવેલી હોય છે તે તરફ નજર રાખીને વ્યવહાર બોલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પોતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાતો કરે છે. વસ્ત્ર ઉપર
SR No.005935
Book TitleAatmvishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year2013
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy