________________
૧૮ આત્મવિશુદ્ધિ ક્ષાયકભાવ પણ પ્રગટ કરી શકાય છે.
જેમ મહાનું મોહના ઉદયથી મનુષ્યોનું મન લક્ષ્મીમાં તેમ જ સ્ત્રીઓમાં રમતું રહે તેવી જ રીતે જો પોતાના ચિતૂપમાં હૃદય રમતું થાય તો આત્માની મુક્તિ પાસે જ છે.
જે પ્રમાદી જીવો શુદ્ધ આત્માના ચિંતનને મૂકીને બીજા પુદ્ગલિક કાર્યોનું ચિંતન કર્યા કરે છે તે અમૃતને મૂકીને વિષનું પાન કરે છે. વિષયના અનુભવમાં વ્યાકુળતા સાથે રાગદ્વેષ હોવાથી પરિણામે દુઃખદાયી છે, પણ આત્માના ચિંતનમાં પરમ શાંતિ હોવાથી કેવળ સુખરૂપ જ પરિણામ આવે છે એટલે તેમાં જ તાત્ત્વિક સુખ છે. આત્મ ચિંતન કરવાના વખતે આત્મા તન્મય થઈ નિરાકુળ શાંત થઈ રહે છે.
મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે તેને મળે છે. પથિક જે માર્ગે જાય છે તે જ નગર તેને પ્રાપ્ત થાય છે, તેમ આત્માનું સ્મરણ કરનારને આત્મા મળે છે, જડનું સ્મરણ કરનારને જડ વસ્તુ પ્રાપ્ત થાય છે. આત્માને માર્ગે ચાલનાર આત્માના સ્થાનમાં જઈ પહોંચે છે, જડના માર્ગે ચાલનારા જડના સ્થાને જઈ પહોંચે છે. જે માર્ગ ઠીક લાગે તે માર્ગે ચાલો. વિશ્વમાં સર્વ માર્ગે ચાલનાર માટે ખુલ્લા છે.