________________
૨૮૬
પ્રીત કિયે દુઃખ હોય'
તેમ કરવાની કુલમુખત્યારી આપી છે, એવી ખાતરી મારે એ લોકોને કરાવવી
"
પડશે. ”
લિસેસ્ટરે તરત આંગળી ઉપરથી વીંટી કાઢી આપી, અને કંઈક વિક્ષિપ્તમ ચહેરા સાથે વાર્નેના કાનમાં ધીમેથી કહ્યું, “તું જે કંઈ કરે તે ઝડપથી કરી નાખજે.”
દરમ્યાન, અર્લ ઑફ લિસેસ્ટરને અચાનક તથા આટલા લાંબા વખત બહાર કેમ જવું પડયું, એની ચર્ચા અને ચિંતા દરબાર-હૉલમાં શરૂ થઈ હતી. પરંતુ લિસેસ્ટર જ્યારે પાછા આવ્યા, ત્યારે તેના મોં ઉપર થોડા વખતથી છવાઈ રહેલા દેખાતા અંધારપડદા છેક જ હઠી ગયા હતા; અને તે પહેલાંના ખુશનુમા ચિંતામુક્ત દરબારી બની ગયા હતા.
અને એ દિવસે તેણે રાણીજી સાથેની વર્તણૂકમાં અને વ્યવહારમાં એવા હાર્દિક ભાવ વ્યક્ત કર્યો કે, રાણી ફરીથી તેના માહમાં આવી ગઈ : પોતાની સત્તામાં કોઈ ભાગીદાર બને એ બાબતની તેની અદેખાઈ જાણે નિદ્રાવશ થઈ ગઈ; બધાં સામાજિક કે કૌટુંબિક બંધનાથી મુક્ત રહેવાના તેના નિશ્ચય ભુલાઈ ગયા; અને કેવળ પેાતાનાં પ્રજાજનાની સાર-સંભાળમાં જ જીવન ગુજારવાની તેની મનીષા ડગી ગઈ. ડડ્ડીના સિતારો પાછા દરબાર-ક્ષિતિજે એકદમ ઊંચા ચમકવા લાગ્યા.
તે સાંજે થોડી વાર બાદ થનારા જુદા જુદા વેશાના કાર્યક્રમની રાહ જોતાં સૌ હવે બેઠાં હતાં તે વખતે અર્લ ઑફ લિસેસ્ટરે લૉર્ડ વિલાબી, ફૂલે વગેરે સામે મજાકના એવા સપાટા લગાવવા માંડયા કે રાણી હસતી હસતી બેવડી વળી જઈને બાલી ઊઠી, મારા લૉર્ડ, તમે અમને હસાવી હસાવીને મારી નાખવા ધાર્યું છે કે શું? એ ભયંકર રાજદ્રોહ બદલ તમારી ધરપકડ કરાવી તમને સજા કરાવવી જોઈશે.”
66
થોડી વાર બાદ રાણીજીના વૈદ માસ્ટર્સ ત્યાં આવતાં રાણીજીએ તેને પૂછ્યું, “પેલી ભાગેડુ નવાઢાની શી સ્થિતિ છે, વારુ?”
“લેડી વાને બહુ ગમગીન છે, નામદાર; અને તેમની તબિયત અંગે મારી સાથે તે કંઈ જ બોલવા માગતાં નથી. આપની સમક્ષ જ જે કંઈ કહેવું હશે તે તેઓ કહેશે, એમ કહીને બીજા કોઈ ઊતરતી કક્ષાના માણસ સાથે વાતચીત કરવાનું પણ તેમને મન નથી.”