________________
પદોથી થતો નથી. માત્ર અર્થ સમજાવવા માટે બીજા પદોથી વિગ્રહ કરાય છે, તેને નિત્ય સમાસ કહેવાય છે. દા. ત. વનસ્ય પશ્ચાત્ અનુવનમ્ – વનની પાછળ, અહીં મન શબ્દ સમાસમાં જોડાયો છે તે વિગ્રહમાં વપરાયો નથી મન નો અર્થ જણાવનાર - પશ્ચાત્ શબ્દ વપરાયો છે માટે આ સમાસને નિત્યસમાસ કહેવાય છે. અથવા જે સમાસનો વિગ્રહ કરી શકાતો નથી - વિગ્રહ કરવાથી મૂળ અર્થ રહેતો નથી. દા.ત. રઘદ્વાઢ: = હલકો માણસ. આ સમાસનો વિગ્રહ અન્ય પદો દ્વારા પણ કરી શકાતો નથી. માટે આ સમાસને પણ નિત્ય-સમાસ કહેવાય. (૨) અનિત્યસમાસ - સમાસમાં વપરાયેલ પદોનો અર્થ પ્રમાણે વિભક્તિ લગાડી વિગ્રહ કરાય તે અનિત્ય સમાસ કહેવાય.દા.ત. ક્યા: નનમ્ – ગિનમ્ અહિં સમાસમાં વપરાયેલ પદો જ વિગ્રહમાં વપરાયા છે માટે તેને અનિત્ય સમાસ કહેવાય.
દ્વન્દ સમાસ પ્રશ્ન-પ દ્વન્દ સમાસ ક્યા અર્થમાં કેવી રીતે થાય ? - ઉત્તર-પ દ્વન્દ સમાસ – બે પદ વચ્ચે “અ” અર્થ જણાતો હોય ત્યારે થાય છે. દ્વન્દ સમાસ બનાવવાની ચાર શરત છે. . (૧) સમાસમાં છેલ્લું પદ જે લિંગમાં હોય એ લિંગમાં જ આખો સમાસ થાય છે. એટલે કે છેલ્લો શબ્દ જો નપું.લિંગમાં હોય તો આખો સમાસ નપું. માં થાય... છેલ્લો શબ્દ જો સ્ત્રીલિંગમાં હોય તો આખો સમાસ સ્ત્રીલિગે થાય અને છેલ્લું પદ જો પુંલિગે હોય તો આખો સમાસ પુલિંગ થઈ જાય.
(૨) આ સમાસ બે પદોનો. અથવા તેથી વધારે પદોનો થઈ શકે છે. અને વિગ્રહમાં બતાવેલા સમાસ પામનારા પદોમાં જો બે પદ જ હોય અને બન્ને પદ એવ. માં હોય તો આખો સમાસ દ્વિવચનમાં થાય... અને વિગ્રહમાં બતાવેલ સમાસ પામનારા પદો બે જ હોય. એમાં કોઈ પણ એક પદ કિં.વ. કે બ.વ. માં હોય તો આખો સમાસ બ.વ. માં જ થાય છે. એટલે કે સામાન્યરીતે વિગ્રહમાં બતાવેલ શબ્દો દ્વારા બે જ વસ્તુ | વ્યક્તિ બતાવાતાં હોય તો આખો સમાસ દ્વિવચનમાં થાય અને વિગ્રહમાં રહેલ
૧૪૩