________________
૧૧૪
શ્રી વીશસ્થાનક તપ થાય છે. વંદનથી ગુરુજનની પ્રતિપત્તિ (સેવા ભક્તિ) થાય છે. પ્રતિક્રમણથી આત્મગાહ થાય છે. કાર્યોત્સર્ગથી ચારિત્રના અતિચાર દૂર કરાય છે. અને પ્રત્યાખ્યાનથી તપની વિશુધ્ધિ થાય છે.”
ગુરુમુખે આવશ્યક પદ આરાધવાનું ફળ જાણી રાજર્ષિએ તે નિયમ અંગીકાર કર્યો. તેમણે ઉપયોગપૂર્વક, સાવધાનપણે પડાવશ્યકની ક્રિયામાં પ્રમાદરહિત ઉદ્યમ કરતા અનુક્રમે જિનનામકર્મ ઉપાર્જન કર્યું. મુનિના સત્ત્વની પરીક્ષા કરવા માટે લક્ષ્મીદેવીએ છ માસ પર્વત અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા. સેંકડો દેવકન્યાના પરિવાર સહિત લક્ષ્મીદેવી કટાક્ષયુક્ત નેત્રોથી કામોદ્દીપક વાક્યો કહેવા લાગી કે. “હે સ્વામિન્ હું આશા ભરેલી કામાગ્નિથી બળતી આપની પાસે આવી છું. તો આપ કૃપા કરી વિષયામૃત પાઈ મને શાંત કરો, પરંતુ પથ્થર ઉપર પાણીની જેમ મુનિનું હૃદય જરાપણ પીગળ્યું નહીં. ત્યારે તેણીએ પ્રતિકૂળ ઉપસર્ગો કરવા માંડયા. તે સર્વે સમભાવે સહન કર્યા. બધો પ્રયત્ન વ્યર્થ ગયો. ત્યારે દેવી પ્રત્યક્ષ થઈ ક્ષમા યાચતી સ્તુતિ કરવા લાગી કે... '
- “હે મુનિશ્રેષ્ઠ ! આપને ધન્ય છે. ઉપસર્ગોમાં આપનું મન જરાપણ શિથિલ થયુનહીં: જગતમાંદ્રવ્યાવશ્યકકરનારા તો ઘણાં છે પરંતુ આપના સમાન ભાવાવશ્યક કરનારા તો વિરલા દ્રષ્ટિગોચર થાય” પુનઃ ક્ષમા યાચી દેવી સ્વસ્થાનકે ગઈ.
અરુણદેવ રાજર્ષિ મુનિ નિરતિચાર ચારિત્રનું પાલન કરી, પ્રાન્ત અનશન કરી, બારમા દેવલોકમાં મહાન સંપદાવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર પદ પામી અનંત આનંદમય મોક્ષને પામશે.
૧૨ શ્રી શીલવત (બાવત) પદ વિષે ચંદ્રવર્મા રાજાની કથા
આ ભરતક્ષેત્રમાં માકંદીપુર નગરમાં ચંદ્રવર્મા રાજા હતો. તેને ચંદ્રાવતી રાણી હતી. અન્યદા તે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના સ્વામી શ્રી ચક્રેશ્વર આચાર્ય સમવસર્યા. રાજા પરિવાર સહિત ગુરુને વાંદવા ચાલ્યો. માર્ગમાં રાજાએ બે યુવાન મુનિઓને કાયોત્સર્ગમાં ઉભેલા જોયા. પછી ગુરુ પાસે આવી વંદન કરીને પૂછ્યું હે કરુણાનિધે ! મેં માર્ગમાં આવતાં બે મુનિઓ સુકુમાર દેહવાળા જોયા તેમણે શા કારણથી ચારિત્ર અંગીકાર કર્યું? તે કૃપા કરી કહેશો.”