________________
કથાઓ
૧૦૯ કરો.” આમ ઘણી રીતે લોભાવાયા છતાં તે મુનિ જરા પણ ચિત્તથી ચલાયમાન થયા નહીં. અંતે દેવમાયા સંહરી પ્રત્યક્ષ થઈ, મુનિની સ્તુતિ કરી દેવસ્થાને ગયો.
હરિવિક્રમ મુનિએ નિશ્ચળ સમક્તિનું પાલન કરતાં જિનનામ કર્મ બાંધ્યું અનુક્રમે કાળધર્મ પામી, વિજય વિમાનમાં, બત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયાં. ત્યાંથી ચ્યવી પૂર્વ વિદેહમાં તીર્થકરપદ પામી અનંત સુખમય મોક્ષપદને
પામશે.
' શ્રી વિનયપદ વિષે ધનશેઠની કથા આ ભરતક્ષેત્રમાં કૃતિકાવતી નગરીમાં જિતારિ રાજા હતો. તે નગરીમાં સમ્યગ્દષ્ટિ સુદત્ત નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ધન અને ધરણ નામે બે પુત્રો હતાં. તેમાં ધન ઉત્તમ ગુણોથી સંપન્ન હતો. જ્યારે ધરણ નિર્દય-ક્રૂર હતો. ધનની ફેલાતી કીર્તિથી ધરણને ઈર્ષ્યા થતી હતી. તે ધનને મારવા માટે છિદ્ર શોધવા લાગ્યો. પરંતુ ફાવ્યો નહીં. તેથી તેણે કુટિલતાથી ધનને કહ્યું કે.. “ભાઈ ! ચાલો પરદેશ જઈને સ્વપુરુષાર્થથી દ્રવ્ય મેળવીએ.” સરલ હૃદયથી ધનદેવે તે પ્રમાણે સ્વીકાર્યું. માતા પિતાની આજ્ઞા લઈ બન્ને ભાઈ પરદેશ ચાલ્યાં. માર્ગમાં ચાલતાં દુષ્ટાત્મા ધરણ ધનદેવને કહે છે - હે ભાઈ સંસારમાં સુખ ધર્મથી થાય કે પાપથી?” ધનદેવ કહે - “ભાઈ સુખ ધર્મથી જ થાય. અર્થ, ભોગ, સ્વર્ગ તેમજ - અપવર્ગ (મોક્ષ) ધર્મથી જ પ્રાપ્ત થાય છે.” ઘરણ કહે-“ભાઈ તારું કહેવું મિથ્યા છે. કેમ કે લોકો અધર્મથી જ સુખી જણાય છે.” આ પ્રમાણે બન્ને વચ્ચે વિવાદ થયો. તેમણે એવી શરત મૂકી કે – બન્નેની વાત લોકોને પૂછતાં, જેની વાત ખોટી ઠરે તેણે પોતાની આંખો કાઢી બીજાને આપી દેવી. પછી ગામમાં જઈ કોઈ અજ્ઞાનીને પૂછ્યું. તેણે કહ્યું.-“અધર્મથી જ સુખ થાય છે. આ રીતે ધનદેવ શરત હાયો. એટલે પાપાત્મા ધરણે નિર્દયપણે ભાઈના સ્નેહને ન ગણતાં તેના બન્ને નેત્રો ખેંચી કાઢયા, પછી બન્ને આગળ ચાલ્યાં. ત્યાં એક વિકટ જંગલમાં ધનદેવને મૂકી ધરણ છાનોમાનો પાછો ઘેર આવ્યો અને કપટથી વિલાપ કરીને કહ્યું કે-એક
અરણ્યમાં વાઘ ધનનું ભક્ષણ કરી ગયો અને ભયથી હું અહીં આવ્યો છું. માતા- પિતા અને ધનદેવની પત્ની રૂદન કરવા લાગ્યાં.
આ તરફ વનદેવતાએ વનદેવને પુણ્યાત્મા જાણી, દિવ્ય અંજનથી તેના