SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી વીશસ્થાનક તપ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. કેવળી ભગવંતની દેશના સાંભળીને સિંહરથરાજા . બોધ પામ્યો. કેવળી ભગવંત પાસેથી પોતાનું આયુષ્ય ત્રણ અહોરાત્ર માત્રનું જ છે એ જાણીને ખેદ કરવા લાગ્યો. દ્વાદશવ્રત અંગીકાર કરીને મહેલમાં આવ્યો. રાજ્યધૂરા અને પુત્રી મનોરમા કોને અર્પણ કરું? એમ વિચારવા લાગ્યો. ત્યાં રાજ્યાધિષ્ઠાયિકા દેવીએ આકાશમાં પ્રત્યક્ષ થઈ કહ્યું કે-હે રાજનું! પંચદિવ્ય પ્રગટાવી, તે પંચદિવ્ય જેને પુષ્પમાળા પહેરાવે તેને તારી રાજ્ય સંપત્તિ અને પુત્રી મનોરમા અર્પણ કરીને તારું આત્મહિત સાધી લે. રાજાએ દિવો કર્યા. જિનપૂજાના પ્રભાવથી પંચદિવ્ય દેવપાલના મસ્તક ઉપર પુષ્પમાળા આરોપણ કરી. રાજ્ય તથા પુત્રી દેવપાળને આપી, સિહરથ રાજા ચારિત્ર અંગીકાર કરી, બે દિવસનું ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી, પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. દેવપાલ રાજા તો થયો પરંતુ અમાત્ય વિગેરે કોઈ તેની આજ્ઞા માનતા. નથી. દેવીના કહેવાથી દેવપાળ રાજાએ માટીનો એક હાથી બનાવરાવ્યો. પછી રાજા તે માટીના હસ્તી ઉપર અંબાડી સ્થાપન કરી આરૂઢ થયા દેવતાના પ્રભાવથી હાથી ચાલવા લાગ્યો. નગર બહાર ભગવંતના દર્શનાર્થે ગયો. વિસ્મયકારી દેખાવ જોઈ નગરજનો સ્તબ્ધ થયા. રાજાને દેવની સહાય છે એમ જાણીને પ્રધાનો સર્વે વશ થયા અને રાજાની આજ્ઞા માનવા લાગ્યા. જિનદત્ત શેઠને બહુમાન પૂર્વક બોલાવી રાજાએ તેમને મહામાત્યની પદવી આપી. રાજાએ દમસાર કેવળી પાસે શ્રાધ્ધવ્રત (શ્રાવકના બાર વ્રત) અંગીકાર કર્યા. દેવપાલે દેવભુવન સમાન જિનમંદિર બનાવીને સુવર્ણમય જિનબિંબ ભરાવ્યું. બીજા પણ અનેક ચૈત્યો કરાવ્યાં. વિધિપૂર્વક પ્રથમ પદનું આરાધન નિર્મળ ભાવથી કરવા લાગ્યાં. ઉત્કૃષ્ટ પુણ્યોપાર્જન વડે તેમણે શ્રી તીર્થકર નામકર્મનો બંધ કર્યો. એકવાર એક કઠિયારાને જોઈને રાણી મનોરમાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં – મનોરમા અને કઠિયારો પતિ પત્ની હતાં. અરણ્યમાંથી કાષ્ઠ લાવી નિર્વાહ કરતાં. એકવાર તેઓએ ગિરિનદીના તટ પર કલ્યાણકારી જિનબિંબ જોયું. મનોરમાએ પવિત્ર જલથી સ્નાન કરીને હર્ષથી જિનબિંબની પુષ્પપૂજા કરી પાપકર્મનો નાશ કર્યો. કઠિયારાએ જિનબિંબની નિંદા કરી. પૂર્વ જન્મના સુકૃતથી મનોરમા બીજા ભવમાં રાજાની રાણી થઈ. કઠિયારો અભવ્ય જીવ હોવાથી બીજા ભવમાં પણ કઠિયારો થયો અને સંસારમાં ભમ્યો.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy