________________
પ્રશસ્તિસંગ્રહ : શ્રીધર્મસૂરિ મ.
આ સિવાય પણ બીજી અનેક કૃતિઓ પ્રાપ્ત થાય એવી પૂરી શક્યતા છે. છેલ્લા ૪૦૦ વર્ષના ઇતિહાસમાં હીરવિજયસૂરિ મહારાજ અંગે જેટલું સાહિત્ય રચાયુ છે એટલું કદાચ બીજા કોઇ આચાર્ય માટે નથી રચાયું. માત્ર સાહિત્ય જ નહિ, સાથે સૂરિજીની ગુરુમૂર્તિ અને ગુરુપાદુકાઓની સ્થાપના પણ સારા પ્રમાણમાં થઇ છે. ગુજરાત અને રાજસ્થાનના અનેક શહેરોમાં તથા નાના ગામોમાં આ મૂર્તિઓ અને પાદુકાઓની સ્થાપના થયેલી છે. યાદ રહે, આ મૂર્તિઓમાં પણ અર્વાચીન કરતા પ્રાચીનની સંખ્યા વધારે છે. [પ્રાપ્ય મૂર્તિ આદિની પ્રતિકૃતિઓ આ ગ્રંથમાં આપેલી છે.]
આ બધું જોયા પછી એવું સ્પષ્ટપણે કહી શકાય કે છેલ્લા ૪૫૦ વર્ષમાં થયેલા આચાર્યભગવંતોમાં તેઓ શિરમોર આચાર્ય હતા.
આ મહાન કાર્યમાં જેઓની કૃપા-સેવા વગેરે પ્રાપ્ત થઇ છે તના નામ વગેરે પ્રસ્તાવનાને અંતે આપ્યા છે.
કેટલીક કૃતિઓની અનેક હસ્તપ્રતો પ્રાપ્ત થઇ. પાઠભેદો પણ ઘણા મળતા હતા. પણ અહીં એનો પ્રયત્ન કર્યો નથી. વળી સૂરિજીના જીવનની કેટલીક હકીકતો ભિન્ન ભિન્ન કૃતિઓમાં ભિન્ન ભિન્ન રીતે જોવા મળે છે, પણ અહીં તેવો તુલનાત્મક પ્રયાસ કર્યો નથી.
એક વાત રહી ગઇ, બાળકનો જન્મ થયા પછી એના નામ પાડવાની તૈયારી ચાલતી હોય છે. આ આખો ગ્રંથ તૈયાર થયા પછી આનું ગુણનિષ્પન્ન નામ રાખવાની તૈયારી ચાલુ થઇ. બે-ચાર નામો વિચાર્યા પણ ખરા...... અને આજના મા-બાપોની જેમ કૈસલ પણ કરી નાંખ્યા. અંતે ટૂંકું, અને સહુના મોઢે ચડી જાય એવુ નામ જડી આવ્યું...... ‘હીર સ્વાધ્યાય’ બિલકુલ ગુણ નિષ્પન્ન આ નામ છે. આખા ગ્રંથમાં એક માત્ર હીરસૂરિમહારાજનો જ સ્વાધ્યાય વાચકને કરવા મળશે.
અંતે, હીરસ્વાધ્યાયના સ્વાધ્યાય દ્વારા સૂરિજીના જીવનના ગુણભંડારમાંથી એકાદ ગુણરતને આપણે સહુ પ્રાપ્ત કરીએ એવી શુભાભિલાષા.
-મહા સુદ ૧૫, ૨૦૫૪
અમદાવાદ
GCS GA
00