SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ • ' પ્રહ : ) प्रणम्य परमात्मानं श्रेयःशब्दानुशासनम् । आचार्यहेमचन्द्रेण स्मृत्वा किश्चिद् प्रकाश्यते ॥ અર્થ પરમાત્માને પ્રણામ કરીને આચાર્ય હેમચન્દ્રાચાર્ય વડે કલ્યાણકારી એવું શબ્દાનુશાસન સ્મરણ કરીને કાંઈક કહેવાય છે. વિ. બુદ્ધિનાં પરિપૂર્ણ ચાતુર્યથી રચાયેલા અને વિદ્વજનોનાં મનને આશ્ચર્ય પમાડનારા, અનેક શાસ્ત્રોના સમૂહવડે વિશુદ્ધ પ્રજ્ઞાની રદ્ધિવાળા અનેક મહર્બિક સૂરીઓને વિસ્મય પમાડનારા, અનુપમ પ્રતિભાના સંભારથી બૃહસ્પતિને (પણ) હરાવનારા, શ્રી કુમારપાળ રાજાને પ્રતિબોધ તથા સમગ્ર પૃથ્વી ઉપર અભયદાનનું પ્રવર્તન વગેરે સંખ્યાતીત શાસનપ્રભાવનાના કાર્યો કરવા દ્વારા શ્રેષ્ઠ વજસ્વામી વગેરે ચિરન્તનાચાર્યોને લોકોનાં સ્મૃતિવિષયમાં લાવનારા, અત્યંત ગ્રાહ્ય. નામવાળા શ્રી હેમચન્દ્રસૂરી મહારાજા ગાઢ અજ્ઞાનતાથી ગ્રસ્ત સમસ્ત જગતને જોઈને તેની અનુકંપાથી વ્યાપ્તચિત્તવાળા (ત કg) શબ્દાનુશાસનને કરવાની ઈચ્છાવાળા પ્રથમ મંગલને માટે અને અભિધેયાદિના પ્રતિપાદન માટે ઈષ્ટદેવતાને નમસ્કાર કરે છે. પ્રસ્થાપ્તિ ...' અહીં પ્રખ્ય ભાવે પ્રયોગ છે, “વર્તી તુમન માવે' (૫-૧-૧૩) “પ્રાધાને (૫-૪-૪૭) થી જ્વા પ્રત્યય, “ઝનગર (૩-૨-૧૫૪) થી કત્વાનો ય આદેશ થયો. પ્રશ્ન :- "પ્રખ્ય' ભાવે પ્રયોગ છે તો “પરમાત્માનમ્' એ પ્રમાણે દ્વિતીયા કેમ મૂકી છે? ઉત્તરઃ સર્માણમુત્પન્નશ્યાતિવવિવાયા , अपाकरोति कर्मार्थं स्वभावान्न पुनः कृतः ॥ ભાવવિવક્ષામાં સકર્મક ધાતુઓને પ્રાપ્ત થયેલ ત્યાદિ વિભક્તિઓ (તેના) કર્માર્થને દૂર કરે છે. પરંતુ સ્વભાવથી કર્માર્થ દૂરનથી થતું, તેથી અહીં પરમાત્માનમ' કર્મ તરીકે દ્વિતીયા થઈ.
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy