SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર. દેશ આપવાને અગ્ય જાણું ઝષભે પિતાના સ્વજન અને રાજાની સમક્ષ તેને ઘરમાંથી કાઢી મુ. ભ્રાતા પણ ગુણ વગરનો હેય તે તે શત્રુ જેવું છે. એક વખતે જુગારમાં હારી ગયેલા જિનદાસની પાસેથી દ્રવ્ય લેવા આવેલા બીજા જુગારીઓએ તેને પકડ અને તેમની વચ્ચે માટે કજીએ થયે. છેવટે નિર્દય જુગારીઓએ તીક્ષણ હથિયારોથી જિનદાસને ઘાયલ કર્યો. વિરૂદ્ધ કર્મ યેગે મર્મસ્થળમાં વાગવાથી જિનદાસ પૃથ્વી ઉપર પડી ગયે. આ વખતે કેટલાએક સવજનેએ આવી આ ખબર ત્રાષભદત્તને આપ્યા. લોકલાજથી, દયાથી અને બંધુ પ્રેમથી પ્રેરાએલા ઋષભદત્ત જ્યાં જિનદાસ પડયે હતું, ત્યાં આકંદ કરતે આવ્યું. પિતાના બ.. ધુને ઈ મણના ભયથી ગર્વ રહિત થઈ ગયેલે જિનદાસ રૂદન કરતે બોલ્યા- “બંધુ. મારે અપરાધ ક્ષમા કરે અને સવર મારી રક્ષા કરે.”દયાળ અષભદત્તે કહ્યું, “ભાઈ જિનદાસ, તું આમ કાયર થો નહીં, ધીર થા. હું તને ઘેર લઈ જઈ સારા વૈદ્યોના ઉપચારથી સાજો કરીશ.” જિનદાસ બો –“પ્રિય બંધુ, હવે મારે જીવવાની સ્પૃહા નથી. માત્ર હું તારા મુખ કમળમાંથી અંતકાળની આરાધના સાંભળવા ઈચ્છું છું. અરે! મને પશ્ચાત્તાપ બહુ થાય છે. હું નિર્મળ કુળમાં જન્મ્યા પરંતુ મેં એવા એવા કામ કર્યા છે કે જે કામે યાદ કરતાં મને અગ્નિથી પણ વધારે દાહ ઉત્પન્ન થાય છે. બધુના આવા ઉદ્દગારે સાંભળવાથી સંતુષ્ટ થયેલે ઋષભદત્ત બેલ્યા–“ભ્રાતા, તને ધન્ય છે કે જેને આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. હવે ધીરજ રાખ, ગભરાઈશ નહીં. અંતકાલે કરેલું સુકૃત અવશ્ય ફલદાયક થાય છે. પ્રિય ભાઈ, જગતમાં આભુષણરૂપ એવા જિનેશ્વરે, સિદ્ધ, સાધુઓ અને ધર્મ તારે શરણરૂપ છે. અપરાધી પ્રાણી ઉપર પણ મૈત્રી રાખજે, તે પછી બીજા પ્રાણીઓની સાથે મૈત્રી શખવાની શી વાત કરવી. સર્વ પાપની નિંદા કર, પુણ્યની અનુમોદના કર. પંચપરમેછીનું મરણ કર્યું. સર્વ આહાર છેડી દે. દેહની મમતા ત્યજી દે, અને શમણ વીના ચરિત્રની ભાવના ભા”. આ પ્રમાણે કરતાં
SR No.005818
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy