________________
શ્રી અંબૂસ્વામી ચરિત્ર કેમ બોલે છે? સર્વ સંગને ત્યાગ કરનાર મુનિ કયાં? અને સંગથી મલિન બુદ્ધિવાળા ગૃહસ્થ કયાં? સમુદ્ર અને ગેમ્પદની જેમ ચતિ અને ગૃહસ્થની વચ્ચે મહાન્ તફાવત છે. ગૃહસ્થ મને નિગ્રહ કરનાર હોય તે પણ તે મુનિવરની સમાનતાને પામતે નથી. જવનો પિષ્ટ ગમે તે ચીકળે હોય પણ તે ગોધૂમના પિષ્ટ જે તે નથી. હે મિત્ર, મેં લાંબા કાળથી ચારિત્રને ઈળ્યું હશે, પણ ઘણા ભવ થયા તેને અનાદર કરેલે, તેથી જાણે તે મારી ઉપર ગુસ્સે થયું હોય તેમ તે આ ભવમાં મને દુર્લભ થઈ પડ્યું છે.” શિવકુમારે હૃદયને આશય દર્શાવતા જણાવ્યું“તમારું કહેવું સત્ય છે, પરંતુ માતા પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી એગ્ય નથી. માટે કદાગ્રહ છોડી દઈ ગ્રહસ્થાવાસમાં રહીને પણ સ્વકાર્ય સાથે. આ સમયે પ્રાસુક અન્ન ગ્રહણ કરે. અન્ન લીધા વિના મૃત્યુ નીપજે છે અને તે મૃત્યુ શુભ કાયમાં વિધરૂપ થઈ પડે છે, એવું વિઘ પિતાની મેળે શા માટે કરવું જોઈએ.?” દઢધમોએ ઉપદેશના રૂપમાં સ્પષ્ટ રીતે કહી દીધું.
આ વચનેની શિવકુમારના હૃદય ઉપર સારી અસર થઈ આવી. તકાલ તેણે તેનું વચન માન્ય કર્યું. પ્રાયે કરીને શિષ્ટ પુરૂષ આગ્રહી હેતા નથી. ત્યારથી શિવકુમારને શ્રાવક દધર્મા શુદ્ધ આહાર લાવી આપને અને છઠ્ઠને અંતે તે શિવકુમાર મુનિની જેમ આંબેલથી પારણું કરતે અને તે ઘરમાં જ રહેતે હતે. નૈરવણ સેંકડો વનિતા રૂપ પ્રદીપ્ત અગ્નિના કુંડમાં રહી પંચાગ્નિ તપ કરતાં એવા શિવકુમારે એવી રીતે બારવર્ષ નિર્ગમન કરી દીધા. શ્રાવક દઢધર્મના ટેકાથી ધર્મવીર શિવકુમારે “દુષ્ટ કામદેવે મને પૂર્વભવે ઘણે હેરાન કર્યો છે.” એવી ઈર્ષા ધારણ કરી હોય તેમ હઠથી કામદેવને હણી નાંખે હતે. છેવટે છઠ્ઠ તપથી આયુષ્ય પૂર્ણ કરો અને અવસાનકાલે મુનિ પાસેથી અનશન લઈ તે શિવકુમાર પાંચમા દેવલોકમાં વિધુમ્માલી નામે દેવતા થયે હતું. આ સમયે તેને ચાર દેવીઓની સાથે ક્રીડા કરતે જે પૂર્વભવેશિથિલ કરી નાખેલો કામદેવ પિતાના જીવનને પુનર્લભ માનવા લાગ્યા. જ્યારે તેના દિવ્ય આયુષ્યને છેલ્લો ભાગ આવે, તે સમયે વિહાર કરતા શ્રી વર્તમાન પ્રભુ સમતાના સ્થાન રૂપમગધ દેશમાં આવી ચડયા. જ્યાં દેવતાઓએ રાજગૃહ નગરીની પાસે સમવસ