SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ * મી જબૂવામી ચરિત્ર જેમ ખુંચતી હતી, ભદેવ પ્રથમ શરમને લઈને સ્નેહને અગ્ય એવું કાંઈ પણ બોલ્યા નહીં, પરંતુ “શરમ સ્વાર્થને નાશ કરનારી છે.” એવું ધારી પછી તે શરમને છેડી આ પ્રમાણે બે-“હે બંધુ, આજકાલ શત્રુઓએ કરેલા બંધથી મને ભય લાગે છે.”મુનિ બોલ્યા એ શે ભય છે? અથવા તું ભાવ શત્રુઓને ભય રાખજે.” ભવદેવે કહ્યું, “ભ્રાતા, તમોએ આપેલું આ પાત્ર એટલું બધું ભારે છે કે તેથી મારા અંગને ભંગ થાય છે.” મુનિએ જણાયું, “બંધુ, એ પાત્રના ભાર કરતાં પણ તારી ઉપર દુષ્કર્મોને મેટે ભાર લાંબા કાળથી લાગે છે, તેને વિચાર ક્ય.” ભવદેવ બે -“બંધુ, હવે હું જાઉં છું, મેં આટલી ભૂમિને સ્પર્શ કદિ પણ કર્યો નથી.” મુનિએ જણાવ્યું, “અરે ભાઈ! આ શું બેલે છે? તું તે આ ત્રણે ભુવનમાં ભમે છું” ભવદતે કહ્યું. “આ આખું વન અપૂર્વ રીતે ઉપ્તન્ન થયેલું છે મુનિએ જણાવ્યું. આ સંસારમાં એવું શું છે કે, જે આત્માએ જોયું નથી.” આ પ્રમાણે બને ભ્રાતાઓ પરસ્પરવાર્તારસને આધીન થઈ ચાલતાં ચાલતાં ગુરૂની પાસે આવી પહોંચ્યા. તેમને જોતાંજ મુનિઓએ ભવદત્તને પુછ્યું કે, “ભવદત્ત, તારા અનુજ બંધુને દીક્ષા આપે છે કે, કેમ?” પછી ભદેવ ગુરૂને નમ્યું. એટલે ગુરૂએ પુછયું. “કેમ તું વ્રતને અથ છે!” આ સાંભળી ભવદેવ વિચાર કરવા લાગ્યું કે, બજાણે એક વિચારના હોય તેમ આ સર્વે એક સરખી વાણું બેલનારા કેમ છે? આ ઉપરથી મને લાગે છે કે, આ મુનિઓની પાસે મારે દયાલ અને મનસ્વી બંધુ ભવદતે મને વ્રત અપાવવાની પ્રતિજ્ઞા લીધી હશે, નહીંતે તે મને બંદીવાનની જેમ પકડી અહિં શામાટે હવે! માટે મારે મારા બંધુની પ્રતિજ્ઞા સત્ય કરવી અને તે માટે બંધુ મૃષાવાદી ન થવું જોઈએ.” આવું વિચારી ભવદેવે ગુરૂના વચન પ્ર. માણે દીક્ષા લેવાની ઈચ્છા બતાવી. તત્કાળ સર્વ મુનિએએ “તારી પ્રતિજ્ઞા સત્ય થઈ છે એમ કહી ભવદત્તની પ્રશંસા કરી તે પછી સંકેચ વગર લેચ કરી અને મુનિવેષ ધારણ કરી ગુરૂએ દીક્ષિત કરેલા ૧ એટલે હું ગામ છોડી આટલી ભૂમિ સુધી આવ્યો નથી.
SR No.005818
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy