________________
આજ્ઞાતિની પરમવિદુષી સ્વ. સા. શ્રી દેલતશ્રીજી મ. સા. નાં શિષ્યા પરમતપસ્વિની સા. શ્રી વસંતશ્રીજી મ. સા. નાં શિષ્યા સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા.શ્રીના સૂચનથી એઓશ્રીની ઈચછાને માન આપી આ ગ્રંથનું પ્રથમ પ્રકાશન વિ. સં. ૨૦૨૩માં કરેલ,
આ પ્રકાશનમાંના લગભગ દરેક ગ્રંથે પૂર્વાચાર્યો કૃત હાઈ પ્રસિદ્ધ જ છે એટલે તે સંબંધી કંઈ ઉલ્લેખ કરવા જેવું નથી જ.
આ પુસ્તિકાનાં સંપાદિકા પૂ. વિનયપ્રભાશ્રીજી મ. સાહેબે અમદાવાદમાં ઓપરેશન કરાવેલ અને બે જ દિવસ પછી નાની જ ઉંમરમાં વિક્રમ સંવત ૨૦૨૩માં ચૈત્ર સુદ નેમના સમાધિપૂર્વક કાલધર્મ પામેલ, ત્યારબાદ આ પુસ્તિકાની વારંવાર મ. સા. -તરફથી ખૂબ જ માગણીઓ આવવા લાગી અને જ્યાં સુધી મારી પાસે તેમ જ પૂ. વસંતશ્રીજી મ. સા. પાસે હતી ત્યાં સુધી દરેકને મોકલાવેલ, પુસ્તક ખલાસ થવા છતાં અવારનવાર માગણું ચાલુ રહેવાથી ફરીથી પ્રકાશન કરવાની મારી ઈચ્છા થઈ અને મેં પૂ, વસંતશ્રીજી મ. સા.ને જણાવેલ તેથી તેઓશ્રીએ પણ સહર્ષ મારી વિનંતિને માન આપી ફરીથી પુસ્તકનું પ્રકાશન કરવા રજા આપેલ એટલું જ નહિ, પરંતુ તે માટે તેઓશ્રીએ ઉપદેશ દ્વારા લગભગ ૨૫૦૦) જેટલી મોટી રકમ એકત્ર કરાવી આ પ્રકાશન માટે મને મેકલાવી આપેલ અને મેં પણ પ્રયત્ન કરી અન્ય પૂ. સા. મ. સા. આદિની મારફત બે હજાર જેટલી રકમ મેળવેલ જેઓની શુભ નામાવલી પાછળ આપવામાં આવેલ છે. તેમ જ હમણાં પંચત્ર અને સંબેધસિત્તરીનું પઠન પણ ચતુર્વિધ સંધમાં વિશેષ પ્રમાણમાં ચાલુ હોવાથી તેમજ બંને ગ્રંથે પૂર્વાયાકૃત તેમ જ ખૂબ જ ઉપયોગી હેવાથી પૂ. વિદુષી સા. મ. સા.શ્રી વસંતશ્રીજીએ આ પુસ્તિકામાં ગુજરાતી અનુવાદ સહિત લેવા જણાવેલ અને મને પણ તે ખૂબ જ જરૂરી લાગવાથી તેઓશ્રીની ઈચ્છાને માન આપી બંને