________________
[ ૧૭ ] શે રહે છે? જેમ-આપણને મરવું ગમતું નથી, બાળબચ્ચાને કે માવતરને વિજેગ પિસાતે નથી, તેમ દરેક જીવ મરણ કે વિજેગ ઈચ્છતા નથી. માટે જેવું વર્તન આપણે બીજા તરફથી આપણી તરફ ઈચ્છીએ છીએ, તેવું જ વર્તન આપણે બીજા દરેક પ્રાણી તરફ રાખવું જોઈએ આ ન્યાયસરની દલીલ દરેકે હંમેશાં ખાસ પોતાની સામે રાખવી જોઈએ. તેમાં જ આપણું ને સર્વનું ભલું છે,
હિંદુસ્થાનમાં પવિત્રતા અને આપણું છે, તે માંસાહારના ત્યાગથી અને ફક્ત વનસ્પતિ તથા દુધ વગેરે સાત્વિક અને નિર્દોષ બારાકથી જ જળવાયેલું છે, પરંતુ સીધી કે આડકતરી રીતે માંસ, લેહી કે ચરબીજન્ય પાપમય ચીજો ખાવા-પીવાથી જળવાતું નથી. માંસાહારથી તંદુરસ્તી પણ બગડે છે. મનુષ્યનું માંસ ખાનારા રાક્ષસ જેવા જંગલી માણસની વાત સાંભળતા હરકોઈ માંસાહારીના મનમાં તેના પાપાચારની ધૃણા ઉત્પન્ન થાય છે. તે પછી માંસાહારમાં ધર્મ તે હોય જ શાને? [છતાં, યાંત્રિક–વાહને અને ખેતીના સાધને વધતા મોટાભાગના છુટાં પડતાં પશુઓ કતલખાને જવાના જ તેને માટે યાંત્રિક કતલખાનાઓ વધતા જાય છે. તે વધવામાં દેશી કતલખાનાઓની વધુ કુરતાનાં વર્ણને, દુધાળા ઢેરેને બચાવવાની હીલચાલે, જીવદયાદિન વિગેરે પ્રવૃત્તિઓ સાધન તરીકે થાય છે.]
કેઈક (બૌદ્ધ) ધર્મવાળાએ તે “કુકડા, હરણ અને માછલા વગેરેના માંસભક્ષણથી અનેક પ્રાણીઓ મારવાનું પાપ થાય, તેથી બચવા માટે એક હાથીને મારવાથી તેનું માંસ ઘણી મુદત સુધી પહેરો જેથી એકજ જીવની થેડી હિંસા થાય.”