SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પભોગ નથી' વગેરે સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહિ તો લોકોમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાનો દોષ લાગે. અને ગૃહચૈત્યના નૈવેદ્ય વગેરે માળીને પહેલાથી નક્કી કરેલા પગારની જગ્યાએ ન આપવા. જો પહેલેથી જ નૈવેદ્ય આપવા પૂર્વક માસિક પગાર નક્કી કર્યો હોય તો દોષ નથી. મુખ્યમાર્ગે તો માસિક પગાર જુદો જ આપવો જોઈએ. ગૃહચૈત્યના નૈવેદ્ય ચોખા વગેરે તો દેવગૃહ(સંઘદેરાસર)માં મૂકવા જોઈએ, નહિ તો ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહચૈત્ય પૂજાયેલું બને પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને. અને તેથી અનાદર, અવજ્ઞા વગેરે દોષ લાગે છે. પોતાના દેહ, કુટુંબાદિ માટે ઘણો બધો પણ વ્યય કરનારા ગૃહસ્થ માટે આ યોગ્ય નથી. દેવગૃહમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી જોઈએ. નહિ કે પોતાના ગૃહ(મંદિર)માં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણથી પ્રાપ્ત થયેલા પૈસાથી કે દેવ સંબંધી પુષ્પો વગેરેથી, કેમ કે એવું કરવામાં પૂર્વે કહેલ દોષ લાગે છે. આ સમગ્ર ગ્રન્થાધિકારને જોતાં ‘પૂર્વોક્તદોષ’થી પૂર્વમાં જણાવેલ ‘અનાંદર-અવજ્ઞાદિ દોષ' લેવાના છે. (પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મ. પણ આ જ અર્થ કરે છે.) પણ સંમેલનના સમર્થકો જો આ અર્થ જાહેર કરીનેં વાત કરે તો તેમની માન્યતા કોઈ સ્વીકારવા તૈયાર થાય નહિ. કારણ કે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પૂજા કરવામાં જો ભગવાનનો અનાદર-અવજ્ઞા થવી વગેરે વગેરે દોષો લાગતા હોય તો કોઈ શ્રાવક એ દોષ માથે લેવા તૈયાર ન થાય. આથી, વૃથા જન પ્રશંસાદિ દોષ'ને વિવક્ષિત માની, સંઘ જ દેવદ્રવ્યથી પૂજા કરવાની વ્યવસ્થા કરી આપતો હોય તો તમને વૃથાજનપ્રશંસાદિ દોષ લાગશે નહિ. એમ ઠસાવવા માટે સંમેલનવાળાઓએ ભરપૂર પ્રયત્ન કર્યો છે. ૨૭
SR No.005797
Book TitleDevdravya Shastriya ane Vyavaharik Paribhasha
Original Sutra AuthorN/A
AuthorJaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year1996
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy