________________
८३
कालभेदादर्थभेदे शब्दस्यर्जुसूत्रसमत्वम् सदस्स ॥२३३५ ॥' त्ति । अत्र लिङ्गवचने साक्षादुक्ते । तदुपलक्षणात् कारकादेरेव ग्रहणं महोपाध्यायैरनेकान्तव्यवस्थाप्रकरणे कृतं, न तु कालस्य । तमपेक्ष्य तु समानत्वमेवोक्तम् । तथाहि - अत्राभिन्नलिङ्गवचनमिति यदुक्तं तदभिन्नकारकाधुपलक्षणं, कारकादिभेदेनाप्यनेनार्थभेदाभ्युपगमात्। तथाहि-यथा ऋजुसूत्रनयमत एव ‘अग्निष्टोमयाजी पुत्रोऽस्य जनिता' इत्ययुक्तं, अतीतानागतयोः सम्बन्धाभावात्, तथा शब्दनयमतेऽन्यकारकयुक्तं यत्तदेवान्यकारकसम्बन्धं नानुभवतीति ‘अधिकरणं चेद् ग्रामः ? अधिकरणाभिधानविभक्तिवाच्य एव, न कर्माभिधानविभक्त्यभिधेयः' इति 'ग्राममधिशेते' इति प्रयोगोऽनुपपन्नः, तथा 'पुरुषभेदेऽपि नैकं वस्तु' इति 'एहि मन्ये रथेन यास्यसि, न हि यास्यसि, यातस्ते पिता' इति च
અનેક પર્યાયવાચી શબ્દોથી વાચ્ય એક વસ્તુ પણ શબ્દનય સ્વીકારે છે, કારણ કે એક જ ઈન્દ્રમાં ઈન્દન-શકન-પૂર્ધારણ વગેરે અર્થો ઘટે છે.”ાર ૨૩૫// અહીં લિંગ અને વચન સાક્ષાત્ કહ્યા છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અનેકાન્તવ્યવસ્થા પ્રકરણમાં એના ઉપલક્ષણથી કારકાદિનું જ ગ્રહણ કર્યું છે, પણ કાળનું નહીં. કાળની અપેક્ષાએ તો સમાનતા જે કહી છે. તે આ રીતે-અહીં “અભિન્નલિંગ-વચન” એમ જે કહ્યું છે તે અભિન્નકારકાદિના ઉપલક્ષણ તરીકે જાણવું, કારણ કે કારકાદિભેદે પણ આ શબ્દનય અર્થભેદ માને છે. તથાતિ-જેમ ઋજુસૂત્રનયને કાળભેદે અર્થભેદ સંમત છે જ, એમ શબ્દનયને કારકાદિભેદે પણ અર્થભેદ માન્ય છે. એટલે વૈયાકરણીઓએ ‘નોમવાની પુત્રોડ, નિતા' (=જેણે અનિષ્ટોમ યજ્ઞ કરેલો છે તેવો પુત્ર આને થશે.) આવો જે પ્રયોગ કહેલો છે તેને ઋજુસૂત્ર પણ અયોગ્ય માને છે, ને શબ્દનય પણ અયોગ્ય માને છે, કારણ કે અતીત-અનાગતનો સંબંધ હોતો નથી. આશય એ છે કે “અનિષ્ટોમયાજી' આમાં યજૂધાતુને ભૂતકાળઅર્થમાં ઈનું પ્રત્યય લાગ્યો છે. જ્યારે “જનિતામાં ભવિષ્યકાળસૂચક પ્રત્યય છે. પરંતુ વાસ્તવમાં અતીત-અનાગત કાળનો સંબંધ થઈ શકતો નથી. એટલે જો એ પુત્ર ભૂતકાલીન છે, તો ભવિષ્યકાલીન નથી, જો ભવિષ્યકાલીન છે, તો ભૂતકાલીન નથી. એક જ પુત્ર ભૂત-ભવિષ્ય ઉભયકાલીન બની શકતો નથી.
જેમ, એકકાળયુક્ત પદાર્થ અન્ય કાળયુક્ત બની શકતો નથી, એમ શબ્દનયે તો એક કારકયુક્ત પદાર્થ અન્યકારકયુક્ત પણ બની શકતો નથી, એટલે ગામ જો અધિશયનનું અધિકરણ છે તો એ એનું કર્મ ન બની શકે. આશય એ છે કે વ્યાકરણકારોને “અધિ” ઉપસર્ગ સાથે શી(શી)ધાતુનો પ્રયોગ હોય તો અધિકરણકારકયુક્ત(=અધિકરણભૂત) ગ્રામરૂપ વસ્તુના વાચક ગ્રામશબ્દને “ગ્રામમધિશેતે’ એ પ્રમાણે બીજી વિભક્તિ કરવા