________________
शब्दनयनिरूपणम्
अथ ऋजुसूत्रानन्तरं शब्दनयं लक्षयतिकालकारकलिङ्गादेर्भेदोऽर्थभेदकृन्मतः । विशेषिततरः पूर्वाद यन्नयेन स शब्दकः ॥१०॥
कालकारकलिङ्गादेर्भेदो यन्नयेनार्थभेदकृन्मतः स पूर्वाद् = ऋजुसूत्राद् विशेषिततरः शब्दक:-शब्दनय इत्यत्रान्वयो ज्ञेयः ।
शपनमाह्वानं, ततश्च शप्यते आहूयते वस्त्वनेनेति शब्दः । शब्दमेव प्रधानं यो मन्यते, न त्वर्थं, स शब्दप्रधानो नयः शब्दनयः । सोऽपि ऋजुसूत्रवत् स्वकीयं वर्तमानमेव. वस्तु स्वीकरोति । तथापि तद्वस्तु ऋजुसूत्रविषयाद् विशेषिततरं मन्यते । विशेषिततरत्वं च कालादेर्भेदादर्थभेदतः । अयम्भावः बभूव सुमेरुः, भवति सुमेरुः, भविष्यति सुमेरुरित्यत्रातीतसुमेरोर्वर्तमानसुमेरुभिन्न एव, तस्माच्चानागतः सुमेरुभिन्न एवेत्येवं कालभेदाद्वस्तुभेदं मन्यते शब्दनयः । तत्र द्रव्यरूपतया योऽभेदस्तं स उपेक्षते, अन्यथा दुर्नयत्वप्रसक्तेरिति । कालभेदेऽप्यर्थस्य यद्यभेदस्तदा रावणशङ्खचक्रवर्तिनोरप्यतीतानागतयोरेकत्वापत्तेः । 'आसीद्रावणो
હવે ઋજુસૂત્ર બાદ શબ્દનયને જણાવે છે -
ગાથાર્થ - જે નય કાળ-કારક-લિંગાદિના ભેદને અર્થભેદ કરનાર માને છે તે પૂર્વના ઋજુસૂત્રનયથી વિશેષિતતર એવો શબ્દનાય છે.
ગાથાનો અન્વયાર્થ સરળ છે.
શબ્દ' શબ્દમાં શપુ ધાતુ છે. શપધાતુ આહ્વાન અર્થમાં વપરાય છે. તેથી, • “જેનાથી વસ્તુનું આહ્વાન = કથન થાય તે શબ્દ આવી વ્યુત્પત્તિ મળે છે. આવા શબ્દને જ જે મુખ્ય કરે છે, નહીં કે અર્થને, તે નય એ શબ્દનય. એ પણ ઋજુસૂત્રનયની જેમ સ્વકીય વર્તમાન વસ્તુને જ સ્વીકારે છે. છતાં તે વસ્તુને ઋજુસૂત્ર માનેલી વસ્તુ કરતાં કંઈક વિશેષ રીતે માને છે. આ વિશેષિતતરત્વ કાળાદિના ભેદ વસ્તુભેદ માનવાથી આવે છે. કહેવાનો ભાવ આ છે – સુમેરુ હતો, સુમેરુ છે, સુમેરુ હશે... આમાં અતીત સુમેરુ કરતાં વર્તમાન સુમેરુ જુદો છે, વર્તમાન સુમેરુ કરતાં ભાવી સુમેરુ જુદો છે. આમ કાળભેદે વસ્તુભેદ માને છે શબ્દનય. આ ત્રણેમાં દ્રવ્યરૂપે જે અભેદ છે તેની એ ઉપેક્ષા કરે છે (પણ, ખંડન કરતો નથી), કારણ કે નહીંતર એ દુર્નય બની જાય. કાળભેદ હોવા છતાં જો વસ્તુનો અભેદ હોય તો અતીત રાવણ અને અનાગત શંખચક્રવર્તી એ બન્ને એક બની જવાની આપત્તિ આવે.