________________
नयविंशिका-८
न च सामान्यानभ्युपगमेऽनुगतत्वव्यवहारानुपपत्तिरिति शङ्कनीयं शब्दानुगमादेव तद्व्यवहारस्योपपत्तिसम्भवात् कारणत्वादावित्थमेवाभ्युपगमात् ।
६२
इत्थञ्च सामान्यानभ्युपगमाद् 'विशेषेणावह्रियते = निराक्रियते सामान्यमनेनेति व्यवहारः ' इत्येवं ‘व्यवहार'पदनिरुक्तिरप्युपपद्यते ।
तथा 'असौ गिरिर्दह्यते' 'असावध्वा याति' 'कुण्डिका श्रवति' इत्यादय उपचारा यतोऽस्मिन्नये बाहुल्येनोपलभ्यन्तेऽतोऽसौ व्यवहारनय उपचारबहुलः । ननु 'गङ्गायां घोष: ' इत्यस्मिँल्लाक्षणिके प्रयोगे यथा गङ्गापदस्य गङ्गातीरे लक्षणा शैत्यपावनत्वादिप्रतीतिश्च प्रयोजनं, तथैतेषु लाक्षणिकेषु प्रयोगेषु कस्य पदस्य कस्मिँल्लक्षणा किञ्च प्रयोजनम् ? शृणु - 'असौ गिरिर्दह्यते' इत्यत्र 'गिरि 'पदस्य गिरिस्थतृणादौ लक्षणा, भूयो दग्धत्वप्रतीतिः प्रयोजनम् ।
સામાન્યને જો નહીં માનશો તો અનુગતવ્યવહાર શી રીતે કરશો ?' આવી શંકા ન કરવી, શબ્દની સમાનતાથી જ એ વ્યવહા૨ થઈ શકવાની સંભાવના છે. (અર્થાત્ જેમ એક ઘડાને જણાવવા માટે અટ્સ... આ વર્ણાવલીઘટિત ‘ઘટ' શબ્દ બોલાય છે એ જ રીતે અન્ય ઘડાને જણાવવા માટે પણ એ જ વર્ષાવલીઘટિત ‘ઘટ’ શબ્દ વપરાય છે. માટે એ બન્ને અંગે એક સમાન ‘આ ઘડો છે' એવી બુદ્ધિ અને વ્યવહાર થાય છે. એટલે આવી અનુગત (= એકસમાન) બુદ્ધિ અને વ્યવહારને ઘટાવવા માટે પણ સામાન્ય માનવાની જરૂર નથી.) (‘આવું અન્યત્ર ક્યાંય થાય છે ?' આવા સંભવિત પ્રશ્નનો ઉત્તર આપવા-) કારણતા વગેરેમાં આવું જ મનાયેલું છે. અર્થાત્ કારણતા એ જાતિ તરીકે માન્ય ન હોવા છતાં ‘આ કારણ છે’ ‘આ કારણ છે’· એવો અનુગતવ્યવહા૨ શબ્દાનુગમથી થાય છે એમ મનાયેલું જ છે. આમ, સામાન્યનો અનલ્યુપગમ અસ્વીકાર હોવાથી, “વિ + અવહરણ = વિશેષ માનવા દ્વારા સામાન્યનું અવહરણ નિરાકરણ જેનાથી થાય છે તે વ્યવહાર'' આવી ‘વ્યવહાર’ પદની વ્યુત્પત્તિ પણ સંગત ઠરે છે.
=
-
=
તથા, ‘આ પર્વત બળે છે' ‘આ માર્ગ જાય છે' ‘કૂંડું ઝરે છે' આવા બધા ઉપચાર પણ આ નય બહુલતાએ = પ્રચુરતાએ માને છે, માટે એ ઉપચારબહુલ છે.
પ્રશ્ન - ‘ગંગાયાં ઘોષઃ' એવા આ લાક્ષણિક પ્રયોગમાં જેમ ગંગા પદની ‘ગંગાતીરમાં’ લક્ષણા છે અને ઘોષમાં ગંગાનદી જેવી શીતલતા-પાવનતાની પ્રતીતિ એ પ્રયોજન છે, તેમ આ લાક્ષણિકપ્રયોગોમાં કયા પદની શામાં લક્ષણા છે ? અને શું પ્રયોજન છે ? ઉત્તર - સાંભળો. આ પર્વત બળે છે' આવા ઉપચારમાં ‘ગિરિ' શબ્દની પર્વત