________________
नयविंशिका-६ दोहिं वि नएहिं नीयं सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण अन्नोन्ननिरवेक्खा ॥२१९५ ॥
अथानेन स्वतन्त्रसामान्यविशेषोभयाभ्युपगमे कणादवदुर्नयत्वं, शबलतदभ्युपगमे च प्रमाणत्वमेव, यथास्थानं प्रत्येकं गौणमुख्यभावेन तदुपगमे च सङ्ग्रहव्यवहारान्यतरप्रवेशः स्यादिति चेत् ? न, तृतीयपक्षाश्रयणे दोषाभावात्, न चैवमतिरिक्तनैगमनयकल्पनानैरर्थ-.. क्यापत्तिः, क्वचित्सङ्ग्रह-व्यवहारसमानविषयत्वेऽपि क्वचिदेकस्य सत उभयग्रहणोपयोगव्यावृत्तत्वेन तदतिरेकात्, अत एव न संयोगेनान्यथासिद्धिः, प्रत्येकविषयताद्वयातिरिक्तस्वतन्त्रविषयताकत्वादिति सम्प्रदायः ॥६॥ सङ्ग्रहं लक्षयति -
એ મિથ્યા જ છે, કારણ કે સ્વવિષયની પ્રધાનતાના કારણે બન્ને અન્યોન્ય નિરપેક્ષ છે. //ર ૧૯૪-૯૫
શંકા - નગમનય જો બિલકુલ સ્વતંત્ર એવા સામાન્ય-વિશેષ બન્ને માનતો હોય તો કણાદની જેમ દુર્નય બની જશે, શબલ પરસ્પર સંવલિત એવા તે બે માનતો હોય તો પ્રમાણ બની જશે, યથાયોગ્ય પ્રત્યેકને ગૌણ-મુખ્યભાવે માનતો હશે તો સંગ્રહવ્યવહારનયમાં જ અન્તભૂત થઈ જશે. અર્થાત્ જ્યાં મુખ્યભાવે સામાન્ય માનતો હશે ત્યાં સંગ્રહનયમાં અને જ્યાં મુખ્યભાવે વિશેષને માનતો હશે ત્યાં વ્યવહારનયમાં એનો અન્તર્ભાવ થઈ જશે... એટલે સ્વતંત્ર સુનયરૂપ (અથવા નયરૂપ) નૈગમનય તો કોઈ રહેશે જ નહીં.
સમાધાન - ત્રીજો વિકલ્પ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
શંકા - પણ તો પછી સ્વતંત્ર નૈગમનય માનવાની કોઈ જરૂર નહીં રહે, કારણ કે બેમાં જ એનો અન્તર્ભાવ થઈ જાય છે.
સમાધાન - કેટલીક બાબતોમાં નૈગમન સંગ્રહ-વ્યવહારનયને સમાન વિષયક હોવાથી એમાં અન્તભૂત થતો હોવા છતાં કેટલીક બાબતોમાં બન્નેના ગ્રહણરૂપ ઉપયોગના કારણે વ્યાવૃત્ત હોવાથી એ બેથી ભિન્ન છે. એટલે જ “એ બેને ભેગા કરી દેવાથી નૈગમ નિરર્થક બની જશે' એમ પણ કહી શકાતું નથી, કારણ કે બન્નેની એક-એકની વિષયતા.... એમ બે વિષયતાથી ભિન્ન સ્વતંત્રવિષયતાવાળો નૈગમનાય છે. આ પ્રમાણે સંપ્રદાય છે = પૂર્વાચાર્યોથી ચાલી આવેલી વાત છે. ||૬|| હવે સંગ્રહનયને જણાવે છે -