SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ अजिज्ञासितानामंशानां बोधाभावो न नयत्वप्रयोजकः २७ प्रामाण्यानुपपत्तिश्च स्यात् । परंतु जीवो नित्यो न वा ? इति यदा प्रश्नस्तदा यथा नित्यत्वं जिज्ञासितं तथैवानित्यत्वमपि जिज्ञासितमेवेति 'जीवो नित्यः' इत्येतावन्मात्रं ज्ञानं नयज्ञानमेव, न तु प्रमाणं, अनित्यत्वलक्षणवस्त्वंशानवगाहितया पूर्णबोधकृत्त्वाभावात् । तथापि तदैकानेकत्वादयोऽशाः यतो न जिज्ञासिता अतो न तदनवगाहित्वमात्रेण 'जीवो नित्योऽनित्यश्च' इत्यादीनां प्रामाण्यानुपपत्तिः । एवमेव स्यादस्त्येवेत्यादिसप्तभङ्गीस्थलेऽप्यनवगाह्यमानानामेकानेकत्वादीनामंशानामजिज्ञासितत्वादेव न प्रामाण्यानुपपत्तिः । ___अथ 'जिज्ञासितानां सर्वेषामंशानामवगाहिनो ज्ञानस्य प्रामाण्यमिति परिभाषा प्राज्ञानां नादेया, स्वकल्पनाशिल्पनिर्मितत्वादिति चेत् ? न, असिद्धेः । शास्त्रेषु तद्बोधकानामक्षराणाજ સમસ્ત વસ્તુસ્વરૂપબોધક કહેવાય છે, માટે એ નયરૂપ ઠરી જતું નથી કે પ્રમાણરૂપે અસંગત કરતું નથી. પરંતુ “જીવ નિત્ય છે કે નહીં ?” એવા પ્રશ્નકાળે જેમ નિત્યત્વ જિજ્ઞાસિત છે એમ અનિત્યત્વ પણ જિજ્ઞાસિત છે જ. તેથી “જીવ નિત્ય છે માત્ર આટલું જ્ઞાન નયજ્ઞાન જ છે, નહીં કે પ્રમાણ. કારણ કે જિજ્ઞાસિત એવા પણ અનિત્યસ્વાત્મક વવંશને જણાવનાર ન હોવાથી પૂર્ણબોધ કરાવનાર નથી. તેમ છતાં, એ વખતે એકત્વ-અનેકત્વ વગેરે અંશો જિજ્ઞાસિત ન હોવાથી, એને ન જણાવનાર હોવા માત્રથી “જીવ નિત્ય પણ છે, અનિત્ય પણ છે' આવા બધા જ્ઞાન પ્રમાણ તરીકે અસંગત ઠરી જતા નથી. એ જ રીતે “સ્વાદસ્પેવ' ઇત્યાદિ સપ્તભંગીમાં પણ જે એકત્વ-અનેકવાદિ અંશો જણાતા નથી તે અજિજ્ઞાસિત હોવાથી જ પ્રામાણ્યની અસંગતિ નથી. શંકા - “જિજ્ઞાસિત બધા અંશોનું અવગાહન કરનાર જ્ઞાન પ્રમાણ છે' આવી તમે કહેલી પરિભાષા પ્રજ્ઞાશીલ પુરુષોને ઉપાદેય નથી, કારણ કે એ માત્ર તમારી કલ્પનાની પેદાશ છે. સમાધાન - “આ માત્ર અમારી કલ્પનાની પેદાશ છે' એવો તમે આપેલો હેતુ અસિદ્ધ હોવાથી તમારી આ વાત બરાબર નથી. શંકા - શાસ્ત્રોમાં આવી પરિભાષાને જણાવનાર કોઈ શબ્દો જોવા મળતા નથી, માટે એ તમારી કલ્પનાની જ પેદાશ છે.. ને તેથી અમે આપેલો હેતુ અસિદ્ધ નથી. સમાધાન - આ વાત પણ બરાબર નથી, કારણ કે શાસ્ત્રોમાં એને જણાવનાર સાક્ષાત્ અક્ષરો મળતા ન હોવા છતાં અર્થથી એને જણાવનાર અક્ષરો મળે જ છે. એ આ રીતે-નયોપદેશમાં આ પ્રમાણે કહ્યું છે-સપ્તભંગીસ્વરૂપ વાક્ય પૂર્ણબોધ કરાવનાર
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy