________________
लौकिकालौकिकप्रामाण्ययोर्विशेषः
२५
कृपया स्पष्टीक्रियताम् । इदमुक्तं भव तद्वति तत्प्रकारकस्य 'इदं रजतं' इति ज्ञानस्य संवादितया तज्ज्ञानात्प्रवर्तमानस्य रजतप्राप्तिर्भवत्येव । अतस्तत्र प्रवृत्त्यौपयिकं प्रामाण्यं स्वीक्रियते । एवमेव ‘जीवो नित्यः' इत्यादि नयज्ञानस्य नित्यत्ववति नित्यत्वप्रकारकता तज्ज्ञानात्प्रवर्तमानस्य कुतश्चिदपि प्रयोजनाद् नित्यत्वार्थिनस्तत्प्राप्तिर्भवत्येवेति तत्र प्रवृत्त्यौपयिकं प्रामाण्यं स्वीक्रियते । परन्तु 'जीवः किं नित्यो वाऽनित्यो वा ?' इत्यादि जिज्ञासायां 'जीवो नित्यः' इति नयज्ञानं न पूर्णस्वरूपस्य निश्चायकं, पर्यायापेक्षया तत्रावस्थितस्यानित्यत्वलक्षणस्य स्वरूपांशस्य तेनाज्ञापनात् । ततश्च विचारौपयिकं प्रामाण्यं तत्र न स्वीक्रियते ।
स्यादेवमेवं केवलज्ञानादृते नैकस्यापि छाद्मस्थिकस्य ज्ञानस्य प्रस्तुतं प्रामाण्यं संभवेत्, अनन्तपर्यायमयस्य वस्तुनः समस्तस्वरूपस्यानन्ततमभागस्यैव ग्रहणात्, न हि 'रूपवान्
ઉત્તર - સાંભળો. લૌકિક પ્રમાણ માત્ર પ્રવૃત્તિ કરાવનાર હોય છે, જ્યારે અલૌકિક પ્રમાણ વસ્તુના પૂર્ણસ્વરૂપનો નિશ્ચય કરાવનાર હોય છે.
-
પ્રશ્ન તમે શું કહેવા માગો છો એ મહેરબાની કરીને સ્પષ્ટ કરો.
ઉત્તર - અમે આ કહેવા માગીએ છીએ કે - તામાં તત્પ્રકારક (રજત અંગે) ‘આ રજત છે' એવું જ્ઞાન સંવાદી છે. (જેનો બોધ થયો હોય એ વસ્તુ ત્યાં મળી જાય તો એ બોધ સંવાદીજ્ઞાન કહેવાય છે.) એટલે આવા સંવાદી જ્ઞાનથી જે પ્રવૃત્ત થાય છે (= રજત મેળવવા હાથ લંબાવે છે) તેને રજતની પ્રાપ્તિ થાય જ છે. માટે આવા જ્ઞાનમાં પ્રવૃત્તિના ઉપાયરૂપ કારણરૂપ પ્રામાણ્ય માન્ય છે. આ જ રીતે ‘જીવ નિત્ય છે' વગેરે નયજ્ઞાન, નિત્યત્વવામાં નિત્ય પદાર્થ અંગે નિત્યત્વપ્રકારક હોવાથી સંવાદી છે અને તેથી, કોઈપણ પ્રયોજનવશાત્ નિત્યત્વનો અર્થી બનેલ નયજ્ઞાતા આવા જ્ઞાનથી પ્રવૃત્ત થાય તો એને નિત્યત્વ મળે જ છે. માટે આવા નયજ્ઞાનમાં, પ્રવૃત્તિનું કારણ બનનાર પ્રામાણ્ય માન્ય જ છે.
પરન્તુ ‘જીવ નિત્ય છે કે અનિત્ય છે ?' આવી જિજ્ઞાસા હોય ત્યારે જીવ નિત્ય છે' આવું નયજ્ઞાન વસ્તુના (જીવના) પૂર્ણસ્વરૂપનો નિશ્ચય કરાવનાર નથી, કારણ કે પર્યાયની અપેક્ષાએ જીવમાં રહેલ અનિત્યત્વરૂપ સ્વરૂપાંશને એ જણાવતું નથી. આમ વિચારૌપયિક વસ્તુસ્વરૂપની વિચારણામાં ઉપાયરૂપ બનતું પ્રામાણ્ય નયજ્ઞાનમાં રહ્યું હોવું માન્ય નથી.
શંકા આ રીતે તો કેવલજ્ઞાન સિવાયના કોઈપણ છાપ્રસ્થિકજ્ઞાનમાં પ્રસ્તુત વિચારૌપયિક પ્રામાણ્ય સંભવશે જ નહીં, કારણ કે અનંતપર્યાયમય વસ્તુના સંપૂર્ણ
=
=
=