________________
व्यवहार-निश्चयनयौ
३४७ अनर्पितमविशेषितं सामान्यमुच्यते, तद्वादी नयोऽनर्पितनयः, सोऽपि समयप्रसिद्ध एव बोद्धव्यः, तन्मतं तु सामान्यमेवास्ति, न विशेषः । अत्राप्यर्पिताऽनर्पितनयद्वये सङ्ग्रहादीनां समवतारो द्रष्टव्य इतीति तत्र भाष्यगाथावृत्तौ । चशब्दगृहीतावर्थशब्दनयावपि पूर्वं विचारितावेव ।
अथावशिष्टौ व्यवहार-निश्चयनयौ चिन्त्येते । तत्र-लोगव्ववहारपरो ववहारो भणइ कालओ भमरो । परमत्थपरो मण्णइ निच्छइओ पंचवण्णो त्ति ॥३५८९ ॥त्तिभाष्यगाथातो लोकाभिमतार्थग्राही नयो व्यवहारः, तत्त्वार्थग्राही नयो निश्चय इति लक्षणे प्राप्येते । तदुक्तं द्रव्य-गुण-पर्यायनो रासग्रन्थे-ते माटइं निश्चय-व्यवहारनुं लक्षण भाष्यइ-विशेषावश्यकइ कहिउंतिम निरधारो तत्त्वार्थग्राही नयो निश्चय, लोकाभिमतार्थग्राही व्यवहारः। इति। तत्र युक्तिसिद्धस्तर्कसहस्तत्त्वार्थभूतोऽर्थस्तत्त्वार्थः । अयमर्थ ईदृगेव भवितुमर्हतीति यत्रास्मदन्तः करणस्याप्यकुत्रिमा सम्मतिः स तत्त्वार्थतया ज्ञेयः । यथा-यत्र प्रत्याख्यानावरणरागद्वेषयोरनुदय एवेदृशी परिणतिः साधुतेति । એવું સામાન્ય છે અનર્પિત છે. એનો ગ્રાહકનય એ અનર્પિતનય. એ પણ શાસ્ત્રપ્રસિદ્ધ નય જ જાણવો. એનો મત એવો છે કે સામાન્ય જ છે, વિશેષ નથી. વળી એ જ ભાષ્યગાથાની વૃત્તિમાં આ જણાવ્યું છે કે આ અર્પિત-અનર્પિત એવા બે નયોમાં સંગ્રહ વગેરે નયોનો સમાવતાર જાણવો.
- ચ શબ્દથી ગૃહીત અર્પિત-અનર્પિત નયોને કહ્યા બાદ એ જ “ચ' શબ્દથી ગૃહીત અર્થનય અને શબ્દનયનું જોડકું કહેવું ઇષ્ટ છે. પણ એ પૂર્વે કહેવાઈ જ ગયેલું છે.
હવે બાકી રહેલા નિશ્ચય-વ્યવહારનયનો વિચાર કરાય છે. “લોકવ્યવહારમાં તત્પર એવો વ્યવહારનય કહે છે કે ભમરો કાળો હોય છે. પરમાર્થમાં તત્પર એવો નિશ્ચયનય એમ માને છે કે ભમરો (બાદરસ્કંધરૂપ હોવાથી) પાંચે વર્ણવાળો હોય છે. /૩૫૮૯l આવી ભાષ્યગાથા પરથી આવા લક્ષણ મળે છે કે લોકને અભિમત અર્થને જોનારો નય એ વ્યવહારનય અને તત્ત્વાર્થને=તત્ત્વભૂત અર્થને જોનારો નય એ નિશ્ચયનય. “દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ” ગ્રન્થમાં કહ્યું જ છે કે-તે માટે નિશ્ચય-વ્યવહારનું લક્ષણ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે તેમ વિચારવું-તે આ પ્રમાણે-તત્ત્વાર્થગ્રાહીનય નિશ્ચય, લોકાભિમતાર્થગ્રાહી નય વ્યવહાર. આમાં જે યુક્તિસિદ્ધ હોય, તર્કસહ હોય એ તત્ત્વાર્થભૂત અર્થ કહેવાય. આ પદાર્થ આવો જ હોય શકે એ રીતે જે અર્થ અંગે આપણું દિલ બોલે એ પદાર્થ તત્ત્વાર્થભૂત જાણવો. જેમકે-પ્રત્યાખ્યાનાવરણ કક્ષાના રાગ-દ્વેષનો અનુદાય હોય એવી પરિણતિ એ સાધુતા છે.