________________
३३५
'क्रियमाणं कृतम्'वाक्ये व्यवहारनयस्यापि संमतिः घटजननव्यापाररूपायाः क्रियाया दीर्घकालत्वासिद्धेः, चरमसमय एव तदभ्युपगमात् । घटगताभिलाषोत्कर्षवशादेव मृन्मर्दनाद्यान्तरालिककार्यकरणवेलायां 'घटं करोमी ति व्यवहारात् । तदुक्तं महाभाष्यकृता-'पइसमयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासो सि। पइसमयकज्जकोडिं थूलमइ घडं मिलाएसि ॥' इति । ततश्च न घटकरणादयः क्रिया दीर्घकालिन्यः, किन्तु चरमसमयलक्षणैकसमयभाविन्य एवेति तद्विषयेऽपि क्रियमाणं कृतमिति निश्चयनयस्यैव सम्मतमिति वाच्यं, निश्चयनयसंमतस्य क्रियमाणस्य कृतत्वस्योपपादनार्थत्वादेतस्याधिकारस्य । ननु कुत एतन्निश्चयः ? इतः-एतदधिकारानुसारेण तु घटश्चरमसमय एव क्रियमाणः, तदैव च कृतः । तत्पूर्वं तु मृन्मर्दनाद्यान्तरालिककार्याण्येव क्रियमाणानि, तत्तत्समये कृतानि च ।
અસિદ્ધ હોવાથી તમારી શંકા બરાબર નથી. અર્થાત્ જ્યારે ઘટજનનક્રિયા હોય ત્યારે તો ક્રિયમાણ એવો ઘડો કૃત હોવાથી દેખાય જ છે. પણ આવી ક્રિયા અમે ચરમસમયે જ માનીએ છીએ. એ પૂર્વની ચક્રભ્રમણાદિ ક્રિયાકાળે અમે ઘટજનનક્રિયા માનતા જ નથી. તેથી ઘડો ત્યારે ક્રિયમાણ જ ન હોવાથી કૃત પણ નથી જ, પછી દેખાય શી રીતે? (શં% - જો આ પૂર્વકાળમાં ઘડો કરાઈ રહ્યો નથી, તો કુંભાર “ઘડો કરું છું એમ શા માટે બોલે છે? સમાધાન -) ઘડો બનાવવાની તીવ્ર અભિલાષાના કારણે, માટી ખૂંદવી વગેરે ક્રિયાકાળે પણ “ઘડો કરું છું એવો કુંભાર વ્યવહાર કરે છે. મહાભાષ્યકારે આ વાત કરી જ છે કે – સમયે સમયે થઈ રહેલ કાર્યોની પરંપરાની તને કોઈ અપેક્ષા નથી અને ઘડાનો તીવ્ર અભિલાષ છે. માટે તે સ્કૂલમતિ ! તું પ્રતિસમય થનાર કાર્યશ્રેણિને ઘડામાં લગાવી દે છે.” એટલે ઘડો કરવો વગેરે ક્રિયા કોઈ દીર્ઘકાલીન હોતી નથી. પરંતુ ચરમસમયરૂપ એકસમયભાવિની જ હોય છે. માટે એની બાબતમાં બોલાતું ક્રિયમાણે કૃતં વાક્ય નિશ્ચયનયને જ માન્ય છે.
સમાધાન - નિશ્ચયનયમાન્ય “ક્રિયમાણે કૃતિ'ની સંગતિ કરવા માટે આ અધિકાર હોવાથી તમારી શંકા બરાબર નથી.
પ્રશ્ન - આવો નિશ્ચય શાના આધારે ?
ઉત્તર - આ રહ્યો એનો આધાર - આ અધિકારના આધારે તો ઘડો ચરમસમયે જ કરાઈ રહ્યો છે, ને ત્યારે જ કૃત છે. એ પહેલાં તો માટી ખૂંદવી વગેરે અવાંતર કાર્યો જ કરાઈ રહ્યા છે, ને તે તે સમયે એ જ કાર્યો કૃત છે. પરંતુ માટી ખૂંદવી વગેરે કાળે ઘરાક વડે “ઘડો કર્યો કે નહીં ?” એવું પૂછવા પર કુંભાર વડે દેવાતો “ઘડો થઈ ગયો’ એવો જવાબ કયા નયને માન્ય છે ? નિશ્ચયનયને તો એ માન્ય નથી જ,