________________
नय-दर्शनयोः समानेऽपि निरूपणे प्रतिविशेष:
३१७ स्यान्मति:-द्रव्यार्थिकनयस्य गर्भितरूपेण भवदुक्ता विकल्पा भवन्त्वपि, व्यक्तरूपेण तु शब्दतः स साङ्ख्यवन्न कदाचिदप्यनित्यत्वं स्वीकुरुते, अपि तु निराकुरुत एव । 'पर्यायापेक्षया जीवादौ वस्तुन्यनित्यत्वमपि वर्तत एव' इत्यादिकं साङ्ख्यवत् सोऽपि कदाचिदपि मुखतो नैव कथयति, तथाकथने स्वस्य द्रव्यार्थिकत्वहानेः । अत एव द्रव्यार्थिको नयो वा भवतु, साङ्ख्यदर्शनी वा, निरूपणं तु द्वयोः समानमेव । ततश्च साङ्ख्यदर्शनिनो निरूपणमेव मिथ्या, न द्रव्यार्थिकनयस्येत्यर्द्धजरतीयन्याय एवेति । मैवं, द्वयोर्निरूपणयोः शब्दतः समानत्वेऽपि नये द्रव्यार्थिके कस्यचित्प्रतिविशेषस्य सत्त्वात् । कः स प्रतिविशेष इति चेत् ? अयं-नित्यत्ववादी साङ्ख्यः क्षणिकत्ववादी च सुगतो यदा समयतस्तदा वैरिवत्परस्परं विवदेते एव, न तु सहकारभावं भजतः, ततस्तौ वस्तुविघातायैव भवतः, न पुनस्तत्स्वरूपनिश्चयाय । परंतु नित्यत्ववादी द्रव्यार्थिको नयोऽनित्यत्ववादी च पर्यायार्थिको नयो यदा समयतः, समुदितौ च वस्तुनः सम्पूर्णस्वरूपनिश्चयार्थं प्रयतेते तदा मिथ: सहकारभावमेव भजतः, न तु वैरिभावम्। अत एव तौ समुदितौ समस्तवस्तुगमको भवतः, - આવો વિચાર આવી શકે કે – દ્રવ્યાર્થિકનયને ગર્ભિતરૂપે તમે કહેલા વિકલ્પો ભલે હો, વ્યક્તરૂપે શબ્દથી તો એ સાંખ્યની જેમ ક્યારેય પણ અનિત્યત્વને સ્વીકારતો નથી, પણ નિરાકરણ જ કરે છે. “પર્યાયની અપેક્ષાએ જીવાદિ વસ્તુમાં અનિત્યત્વ પણ રહેલું જ છે.” વગેરે એ પણ સાંખ્યની જેમ ક્યારેય મુખથી કહેતો નથી જ, કારણ કે એવું કહેવામાં એનું દ્રવ્યાર્થિકપણું જ હણાઈ જાય. એટલે જ દ્રવ્યાર્થિકનય હોય કે સાંખ્યદર્શન હોય, નિરૂપણ તો બન્નેનું સમાન જ હોય છે. એટલે સાંખ્યદર્શનનું જ નિરૂપણ મિથ્યા, નહીં કે દ્રવ્યાર્થિકનયનું નિરૂપણ આ તો અર્ધજરતીયન્યાય જ છે.
પણ આ વિચાર યોગ્ય નથી, કારણ કે આ બેનું નિરૂપણ શબ્દથી સમાન હોવા છતાં દ્રવ્યાર્થિકનયના નિરૂપણમાં કંઈક વિશેષતા પણ છે જ. “એ વિશેષતા કઈ ?” આનિત્યતાવાદી સાંખ્ય અને ક્ષણિકત્વવાદી બૌદ્ધ જ્યારે ભેગા થાય છે ત્યારે શત્રુની જેમ પરસ્પર વિવાદ જ કરે છે, સહકારભાવ દાખવતા નથી, અને તેથી વસ્તુસ્વરૂપનો વિઘાત કરનારા જ બને છે, નહીં કે તેનો વાસ્તવિક નિશ્ચય. પરંતુ નિત્યતાવાદી દ્રવ્યાર્થિકનય અને અનિત્યતાવાદી પર્યાયાર્થિકનય જ્યારે ભેગા થઈને વસ્તુના સંપૂર્ણસ્વરૂપનો નિશ્ચય કરવા માટે પ્રયત્નશીલ બને છે ત્યારે પરસ્પર સહકાર ભાવ જ રાખે છે, નહીં કે શત્રુભાવ. એટલે જ ભેગા થયેલા તે બે સમસ્ત વસ્તુના બોધક બને છે, અને એટલે જ તે બેના સમુદાયમાં સમ્યકત્વ કહેવાય છે. પરસ્પર વૈરભાવને છોડીને સહકારભાવ