________________
शब्दनयं प्रति ऋजुसूत्रस्य शिक्षा
२७३
जानाति तस्य घटनक्रियापुरस्कारासम्भवेऽपि घटपदाद् घटत्वं पुरस्कृत्य घटो बुध्यत एव । न च तस्यैवं घटबोधेऽपि नार्थव्यवस्थासम्भवः, अन्यथा विपरीतशक्तिग्रहवशात् पटपदाज्जायमानेन घटबोधेनाप्यर्थव्यवस्थाप्रसङ्गादिति वाच्यं तत्र शक्तिग्रहादौ पश्चाद्भाविना बाधादिज्ञानेन तद्व्यवस्थाप्रतिबन्धसम्भवात् । यत्र त्वविपरीते शक्तिग्रहादौ पश्चादपि न बाधादिज्ञानं तत्र घटत्वं पुरस्कृत्य जायमानेन घटबोधेनार्थव्यवस्था त्विष्टैव ।
किञ्च पर्यायशब्दानामभावेऽनुशासनबलाज्जायमानस्य सङ्केतग्रहस्य प्रायोऽसम्भव एव स्यात्, अनुशासनकोशादौ प्रायः पर्यायशब्दैरेव सङ्केतस्य सूचितत्वात् । ततश्च सङ्केतग्रहाभवे व्यवहार एव कथं स्यात् ? अतो घटकुटादिशब्दानामेकार्थकत्वं पर्यायत्वं मन्तव्यमेव ।
अथ ऋजुसूत्रः शब्दनयं शिक्षते यदि विभिन्नवर्णानुपूर्वीकाणामपि घटकुटादिपदानामेकार्थत्वं शब्दनयवादिन् ! तव संमतं तर्हि तट:- तटी-तटं इत्यादौ लिङ्गभेदादि
એટલે જ જે ઘટનાત્મક વ્યુત્પત્યર્થને જાણતો નથી એને ઘટનક્રિયા આગળ થવાનો સંભવ ન હોવા છતાં ‘ઘટ'પદપરથી ઘટત્વને આગળ કરીને ઘડો જણાય જ છે.
શંકા - એને ઘટબોધ ભલે થાઓ... પણ આવી રીતે આ બોધદ્વારા અર્થવ્યવસ્થા સંભવતી નથી. અર્થાત્ વિક્ષિત ઘટાદરૂપ અર્થ અહીં છે કે નહીં ? એનો યથાર્થ નિશ્ચય થઈ શકતો નથી, નહીંતર તો કોઈને શક્તિનો નિશ્ચય વિપરીતપણે થયેલો હોય તો ‘પટ’પદ પરથી પણ ઘટબોધ થાય... ને એનાથી પણ અર્થવ્યવસ્થા માનવી પડે. નહીં માનવી પડે, કારણ કે એ શક્તિના નિશ્ચયમાં પાછળથી થતા બાધાદિજ્ઞાન (‘પટ' શબ્દ પરથી ઘટ જાણવો... આવું શક્તિજ્ઞાન ખોટું છે પટપદની · શક્તિ ઘટમાં રહી નથી... વગેરે રૂપ બાધાદિજ્ઞાન) દ્વારા તે વ્યવસ્થાનો પ્રતિબંધ થઈ શકે છે અને જે શક્તિગ્રહ યથાર્થ જ થયો હોવાથી પાછળથી પણ બાધાદિજ્ઞાન થતું નથી ત્યાં ઘટત્વને આગળ કરીને થતા ઘટબોધ પરથી થતી અર્થવ્યવસ્થા તો ઇષ્ટ જ છે.
સમાધાન
-
વળી પર્યાયવાચી શબ્દો જો હોય જ નહીં, તો વ્યાકરણ પરથી થતા સંકેતગ્રહનો પ્રાયઃ અસંભવ જ થઈ જશે, કારણ કે વ્યાકરણ-કોશ વગેરેમાં પ્રાયઃ પર્યાયવાચી શબ્દો વડે જ સંકેતનું સૂચન કરેલું હોય છે. એટલે પછી સંકેતગ્રહણ જ ન હોય તો વ્યવહાર જ શી રીતે થાય ? તેથી ઘટ-કુટ વગેરે શબ્દોને એકાર્થક-પર્યાયવાચી માનવા જ જોઈએ.
હવે ઋજુસૂત્ર શબ્દનયને સલાહ આપે છે-જે શબ્દોની વર્ણાનુપૂર્વી જુદી જુદી છે એવા ઘટ-કુટ વગેરે શબ્દોને પણ હે શબ્દનયવાદી ! જો તું એકાર્થક માને છે તો તટ: તટી તયં... વગેરેમાં લિંગભેદ વગેરે માત્રને આગળ કરીને અર્થભેદ માનવો યોગ્ય નથી.