________________
२६९
'हरि'शब्दस्य विविधा व्युत्पत्तयः समानत्वात्। किञ्च विभिन्नलिङ्गवचनादिशब्दवाच्यत्वमर्थभेदे प्रयोजकं त्वयोच्यत इति गौरवं, मया तु विभिन्नशब्दवाच्यत्वमेव तथा वाच्यमिति लाघवम् । न च 'हरि इतिशब्दाभेदेऽपि तद्वाच्यानां विष्णु-इन्द्राद्यर्थानां नाभेदः, एवं घट-कुटादिशब्दभेदेऽपि तद्वाच्यानां घटकुटाद्यर्थानां भेदो न भविष्यतीत्याशङ्कनीयं, यत्र यत्र भिन्नशब्दवाच्यत्वं तत्र तत्रार्थभेद इति व्याप्तेः सत्त्वाद् घट-कुटादीनां भेदस्तु सिद्ध एव । विष्णु-इन्द्राद्यर्थानां नानार्थकैकशब्दवाच्यानां शब्दभेदानेदाभावेऽपि लक्षण-स्वरूपादिभेदाढ़ेदो भविष्यति, न ह्यर्थभेदे शब्दभेदलक्षणमेकमेव प्रतिनियतं प्रयोजकम् । वस्तुतस्तु शब्दभेदादर्थभेदो यथाऽस्य संमतस्तथाऽर्थभेदात् शब्दभेदोऽपि संमत एव। इयमत्र भावना-विष्णुबोधकस्य 'हरि'शब्दस्य 'हरति पापं भक्ताना'मिति व्युत्पत्त्यनुसारेण भक्तपापहरणं व्युत्पत्तिनिमित्तम् । इन्द्रबोधकस्य 'हरि'शब्दस्य 'हरत्यैश्वर्यमसुराणा'
શબ્દવાચ્યત્વ. અર્થાત્ જે વાચ્યાર્થ વિભિન્ન લિંગવાળા શબ્દથી વાચ્ય હોય.. અથવા વિભિન્ન વચનવાળા શબ્દથી વાચ્ય હોય..., તે વાચ્યાર્થ ભિન્ન હોય... આવું માનવામાં ગૌરવ સ્પષ્ટ છે. અમે તો જે વાચ્યાર્થ વિભિન્ન શબ્દોથી વાચ્ય હોય તે ભિન્ન હોય આવું કહીએ છીએ. એટલે આમાં લાઘવ સ્પષ્ટ છે.
શંકા - “હરિ' એવો શબ્દ ભિન્ન ન હોવા છતાં એના વાચ્યાર્થ વિષ્ણુ-ઇન્દ્ર વગેરે અર્થોનો અભેદ નથી. એમ ઘટ-કુટ વગેરે શબ્દ ભિન્ન હોવા છતાં એના વાચ્યાર્થમાં ભેદ ન પણ હોઈ શકે.
સમાધાન - આવી શંકા ન કરવી, કારણ કે જ્યાં જ્યાં ભિન્નશબ્દવાધ્યત્વ હોય ત્યાં ત્યાં અર્થભેદ હોય એવી વ્યાપ્તિ હોવાથી ઘટ-કુટ વગેરેનો ભેદ તો સિદ્ધ જ છે. અનેકાર્થક(હરિ વગેરે)શબ્દવાચ્ય વિષ્ણુ-ઇન્દ્ર વગેરે અર્થોનો શબ્દભેદે ભેદ ન હોવા છતાં લક્ષણ સ્વરૂપાદિના ભેદના કારણે ભેદ થઈ જ શકે છે. અર્થભેદ હોવામાં શબ્દભેદ એ જ એક પ્રતિનિયત પ્રયોજક છે એવો નિયમ કાંઈ છે નહીં. વસ્તુતઃ તો આ સમભિરૂઢનયને જેમ શબ્દભેદે અર્થભેદ સંમત છે એમ અર્થભેદે શબ્દભેદ પણ સંમત છે જ. કહેવાનો ભાવ એ છે કે – “હરિ’ શબ્દ જુદા જુદા અનેક અર્થમાં વપરાય છે. આ અર્થ જેમ બદલાય છે એમ એનો વાચક “હરિ’ શબ્દ પણ બદલાય છે. એવું આ સમભિરૂઢ નય કહે છે. જેમકે વિષ્ણુબોધક “હરિ' શબ્દ “ભક્તોના પાપ હરે તે હરિ' આ રીતે બન્યો હોવાથી ભક્તપાપહરણ એ એનું વ્યુત્પત્તિનિમિત્ત છે. ઈન્દ્રબોધક હરિશબ્દ અસુરોનું ઐશ્વર્ય હરે તે હરિ’ આ રીતે બન્યો હોવાથી અસુરેશ્વર્યહરણ એ એનું વ્યુત્પત્તિનિમિત્ત છે. સિંહવાચક આ શબ્દનું “જીવોના પ્રાણ હરે તે હરિ એવી વ્યુત્પત્તિ