________________
इतरांशस्य कः प्रधानतया प्रतिक्षेपः कश्च गौणतयाऽप्रतिक्षेपः ?
प्रत्यभिज्ञाद्युत्पत्तेः । न चैवमितरांशप्रतिक्षेपित्वाद् दुर्नयत्वं तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र 'एवोपयोगादिति ।' प्रस्तुते 'रूपवान् घट:' इत्यादौ तु प्रयोजनाभावादिलक्षणेन केनापि कारणेन रसादेरितरांशस्योपेक्षैव, न तु प्राधान्येनापि प्रतिक्षेपाभिप्राय इति कुतस्तस्य नयत्वम् ?
नन्वेतेन नयः प्रधानतयेतरांशं प्रतिक्षिपति, गौणतया च न प्रतिक्षिपतीति पर्यवसितम्, तत्र कः प्रधानतया प्रतिक्षेपः ? कश्च गौणतयाऽप्रतिक्षेप इति चेत् ? शृणु-ययाऽपेक्षयाऽधिकृतस्य नयस्य प्रवृत्तिस्तस्या अपरित्याग इतरांशस्य यः प्रतिक्षेपः स प्रधानतया प्रतिक्षेप:, तस्याः परित्यागे त्वितरांशस्य यः स्वीकारः स गौणतयाऽप्रतिक्षेपः । तथाहि - द्रव्यार्थिको द्रव्यमपेक्ष्य जीवे नित्यत्वं जानाति वक्ति च । ततश्च द्रव्यापेक्षाया अपरित्यागेऽनित्यत्वं
१५
માનતો નથી. આ એ જ ઘડો છે' વગેરે જે પ્રત્યભિજ્ઞાદિ થાય છે, એ આ પરંપરાના કારણે જ થાય છે, નહીં કે કોઈ એક દ્રવ્યના કારણે. શંકા નય આ રીતે જો ઇતરાંશનો પ્રતિક્ષેપ કરનાર હશે તો એ દુર્નય જ બની જશે. સમાધાન ના, એ દુર્નય નહીં બની જાય, કારણ કે આ પ્રતિક્ષેપ કેવળ પ્રાધાન્યમાં ઉપયોગી છે.’’ આશય એ છે કે વસ્તુનું પ્રધાનસ્વરૂપ શું છે ? આ વિચારણામાં દ્રવ્યાર્થિક નય એમ કહે છે કે -દ્રવ્ય (= ધ્રૌવ્ય) એ જ વસ્તુનું પ્રધાનસ્વરૂપ છે, ઉત્પાદ-વિનાશ નહીં... આમ પ્રધાનસ્વરૂપ તરીકે જ દ્રવ્યાર્થિકનય ઉત્પાદ-વિનાશનો નિષેધ કરે છે... ગૌણરૂપે તો એનો નિષેધ કરતો નથી. માટે એ દુર્નય બની જતો નથી. આ જ રીતે પર્યાયાર્થિકનય ધ્રૌવ્યનો જે નિષેધ કરે છે તે પ્રધાનસ્વરૂપ તરીકે જ, ગૌણસ્વરૂપ તરીકે નહી', માટે એ પણ દુર્નય નથી.
-
પ્રસ્તુતમાં ‘રૂપવાનું ઘટઃ' વગેરેમાં પ્રયોજન ન હોવું વગેરે કોઈપણ કારણે રસાદિ ઇતરાંશ અંગે ઉદાસીનતા જ છે, નહીં કે પ્રધાનરૂપે પણ પ્રતિક્ષેપ, પછી શી રીતે એ અપાયાદિ ‘નય' બની જાય
-
પ્રશ્ન
આનો અર્થ તો એ થયો કે નય પ્રધાનરૂપે ઇતરાંશનો પ્રતિક્ષેપ કરે છે, ને ગૌણરૂપે પ્રતિક્ષેપ કરતો નથી. તો આમાં પ્રધાનરૂપે પ્રતિક્ષેપ શું છે ? અને ગૌણરૂપે અપ્રતિક્ષેપ શું છે ?
ઉત્તર - સાંભળો. જે અપેક્ષાએ વિવક્ષિત નય પ્રવર્તે છે તે અપેક્ષાને છોડ્યા વિના કરાતી વિચારણામાં ઇતરાંશનો કરાતો પ્રતિક્ષેપ એ પ્રધાનરૂપે પ્રતિક્ષેપ છે અને અપેક્ષાને છોડી દઈને કરાતી વિચારણામાં ઇતરાંશનો જે કરાતો સ્વીકાર એ ગૌણરૂપે અપ્રતિક્ષેપ છે. તે આ રીતે દ્રવ્યાર્થિકનય દ્રવ્યની અપેક્ષાએ જીવમાં નિત્યત્વને જુએ છે અને