________________
नित्यपर्यायस्यासम्भवादेव तद्ग्राहिणो नयस्याभावः
२४५
पर्यायार्थिकनययोरन्तराले ( = द्रव्यार्थिकनयानां पश्चात् पर्यायार्थिकनयानां च पूर्वं ) निर्देशश्चेति मेऽभिप्रायः ।
ननु यथा क्षणिकद्रव्यग्राही स्वतंत्रो नय ऋजुसूत्रतया प्रोक्तस्तथा नित्यपर्यायग्राह्यप्येकः स्वतंत्रो नयः कथनीयः, तस्य च नित्यत्वग्राहितया द्रव्यार्थिकत्वं पर्यायग्राहितया च पर्यायार्थिकत्वमपीति चेत् ? न, वदतो व्याघातदोषापातात्, 'नित्य 'शब्देन नित्यत्वस्य 'पर्याय'शब्देन च तदभावस्य ख्याप्यमानत्वात् । न च यथा ऋजुसूत्रनयविषये क्षणिकद्रव्ये भवता वदतोव्यघातदोषवारणार्थं ध्रौव्यलक्षणं द्रव्यांशं परित्यज्याधारांशलक्षणो द्रव्यांशो गृहीतस्तथाऽस्माभिरपि क्षणिकत्वलक्षणं पर्यायांशं तद्दोषवारणार्थं परित्यज्यते, आधेयांशलक्षणं पर्यायांशं च गृह्यते, ततश्च को वदतो व्याघातदोष इति वाच्यं, पर्यायाणामंशाभावात् । ननु पर्यायाणाમધ્વંશા: શાસ્ત્રેષુ થિતા વ્। તથાહિ-‘ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' નૃત્યત્રોત્પાવ્ય
આધાર તરીકે ઘટાદિને જોનારા ઋજુસૂત્રનો ક્ષણિકદ્રવ્ય એ વિષય છે એવું કહેવામાં શું વદતો વ્યાઘાત છે ? વળી એ આદિષ્ટદ્રવ્યને જોનારો નથી, માટે નથી એનો વ્યવહારમાં અંતર્ભાવ કે નથી એ વ્યવહારનયની જેમ માત્ર દ્રવ્યાર્થિક. વળી એ આધારાંશને પણ જોનારો છે, માટે નથી એનો શબ્દાદિમાં અન્તર્ભાવ કે નથી એ માત્ર પર્યાયાર્થિક. તેથી એ સ્વતંત્રનય છે અને એનો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયની વચમાં (= દ્રવ્યાર્થિકનયોની પછી અને પર્યાયાર્થિકનયોની પહેલાં) ઉલ્લેખ છે, આવો મારો અભિપ્રાય છે.
શંકા-જેમ ક્ષણિકદ્રવ્યગ્રાહી એવો સ્વતંત્ર ઋજુસૂત્રનય કહ્યો છે એમ નિત્યપર્યાયગ્રાહી પણ એક સ્વતંત્રનય કહેવો જોઈએ અને નિત્યગ્રાહી છે, માટે દ્રવ્યાર્થિક છે અને પર્યાયગ્રાહી છે માટે પર્યાયાર્થિક પણ છે.
સમાધાન-આવી શંકા ન કરવી, કારણ કે એમાં વદતો વ્યાઘાત દોષ છે. તે પણ એટલા માટે કે ‘નિત્ય' શબ્દ નિત્યતાને જણાવે છે જ્યારે ‘પર્યાય' શબ્દ એના અભાવને જણાવે છે. શંકા જેમ ઋજુસૂત્રનયના વિષય ક્ષણિકદ્રવ્યમાં વદતો વ્યાઘાતદોષ ટાળવા ધ્રૌવ્યાંશદ્રવ્યને છોડીને આધારાંશદ્રવ્ય લો છો, એમ અમે પણ એ દોષને વારવા માટે
ક્ષણિકત્વ રૂપ પર્યાયને છોડીને આધેયાંશરૂપ પર્યાયને લઈશું, પછી શું વદતો વ્યાઘાતદોષ ? આવું ન કહેવું, કારણ કે પર્યાયના અંશો હોતા નથી.
સમાધાન
શંકા અરે ! પર્યાયના અંશો પણ શાસ્ત્રોમાં કહેલા જ છે. તે આ રીતે
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્-આમાં ઉત્પાદ-વ્યયપદ પર્યાયના ક્ષણિકત્વાંશને જણાવે છે.
-
-
-