________________
नयविंशिका - १५
२४२
स्वतः प्रकाशरूपत्वाच्चेतनत्व' मितीति तमूलभूतस्यर्जुसूत्रस्यापि पर्याय एव विषय इति चेत् ? न तस्य विज्ञानस्य प्रकाशरूपत्व - चेतनत्व - ज्ञानसुखाद्याकाररूपानेकधर्माश्रयत्वेन तेन कल्पितत्वाद् द्रव्यत्वानपायात् । किञ्च परमाणुपुञ्जस्तु तस्यापि संमतः, न हि पर्यायाणां પુન્ન: સન્મતિ ।
इत्थञ्च 'ऋजुसूत्रस्य क्षणिकद्रव्यं विषयः' इति सिद्धम् । ततश्च स द्रव्यं यद् गृह्णाति तदर्पयित्वा श्रीजिनभद्रगणिक्षमाश्रमणादयस्तं द्रव्यार्थिकमाचक्षते । तथा स क्षणिकत्वं यद् गृह्णाति तदर्पयित्वा श्रीसिद्धसेनादिवाकरप्रमुखास्तं पर्यायार्थिकमाचक्षते । यदा तूभयमर्प्यते तदा स द्रव्यार्थिकोऽपि पर्यायार्थिकोऽपीति ।
अथ 'क्षणिकद्रव्य 'कथने 'माता मे वन्ध्या 'वद् वदतो व्याघातदोषः । यथा 'माता' इत्यनेन पुत्रजननं सूच्यते, 'वन्ध्या' इत्यनेन च पुत्रजननाभावः, अतो वदतो व्याघातः, एवं 'द्रव्यं' इत्यनेन ध्रुवत्वमुच्यते, 'क्षणिक 'इत्यनेन ध्रुवत्वाभाव:, ततश्च कुतो न वदतो व्याघातदोष इति चेत् ? मैवं, अभिप्रायापरिज्ञानात् । अयमत्राभिप्राय:- वस्तुतो 'द्रव्य 'शब्देन यत्
હોવાથી ચેતન છે.’” એટલે એ સુગતદર્શનના મૂળભૂત ઋજુસૂત્રનયનો વિષય પણ પર્યાય
જ છે.
સમાધાન આવી શંકા બરાબર નથી, કારણ કે એ દર્શન વડે એ વિજ્ઞાનને પ્રકાશરૂપત્વ-ચેતનત્વ-જ્ઞાનસુખાદિ અનેક આકારરૂપ અનેક ધર્મના આશ્રય તરીકે મનાયેલું હોવાથી દ્રવ્યરૂપ માનવું આવશ્યક છે. વળી પરમાણુપુંજ તો તેઓને સંમત છે જ. પર્યાયોનો પુંજ કાંઈ થઈ શકતો નથી જ. એટલે આ બધી વાતો પરથી ઋજુસૂત્રનો પણ દ્રવ્ય એ વિષય છે એ વાત સિદ્ધ થાય જ છે.
આમ ઋજુસૂત્રનો ક્ષણિકદ્રવ્ય એ વિષય છે એ સિદ્ધ થયું. એટલે એ દ્રવ્યનું જે ગ્રહણ કરે છે એને મુખ્ય કરીને શ્રીજિનભદ્રગણીક્ષમાશ્રમણ વગેરે એને દ્રવ્યાર્થિક કહે છે અને એ ક્ષણિકત્વનું જે ગ્રહણ કરે છે એને મુખ્ય કરીને શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે એને પર્યાયાર્થિક કહે છે. જો બન્નેને મુખ્ય ક૨વામાં આવે તો એ દ્રવ્યાર્થિક પણ છે અને પર્યાયાર્થિક પણ છે.
-
શંકા - ક્ષણિકદ્રવ્ય બોલવામાં તો માતા મે વંધ્યા જેવો વદતો વ્યાઘાત દોષ છે. જેમ, ‘માતા' શબ્દથી પુત્રજનન સૂચિત થાય છે અને વાંઝણી શબ્દથી પુત્રજનનાભાવ સિદ્ધ થાય છે. તેથી વદતો વ્યાઘાત (= બોલવાની સાથે જ વચન પૂર્વાપરિવરોધ હોવાથી