SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ जा जयमाणस्स० गाथार्थे नयविचारणा २३९ इत्यन्तेनाधिकारेण (पृ. २२८) पूर्वमस्माभिरुद्भाविता शङ्काऽनुद्धृतैवेति चेत् ? सत्यमिष्टं च, नं ह्यनुचितेन पथा शङ्काऽपनयनं विदुषामिष्टं भवितुमर्हति । तच्छङ्कोद्धारस्योचितः पन्थाऽयम् । जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ ओ.नि. ७५९॥ त्ति आगमवचनेन विराधनायां कर्मनिर्जराहेतुत्वं यदुक्तं तद्विषयिणी चर्चा महोपाध्यायैर्यशोविजयवाचकैर्धर्मपरीक्षाग्रन्थे कृता । तथा च तत्राधिकारः -न चेयमनाभोगजन्या वर्जनाभिप्रायवती वा, किन्तु ज्ञानपूर्वकत्वेनर्जुसूत्रमतेन विलक्षणैव सती व्यवहारनयमतेन च विलक्षणकारणसहकृता सती बन्धहेतुरपि निर्जराहेतुः, घटकारणमिव दण्डो घटभङ्गाभिप्रायेण गृहीतो घटभङ्गे ।' इति । ____ अत्रर्जुसूत्रेण विराधना विलक्षणतया प्रोक्ता । अर्थाद् विराधनायां विराधनात्वधर्मस्त्वस्त्येव, तत्र ज्ञानपूर्वकत्वधर्मप्रवेशात्सा विलक्षणा भवतीत्युक्तं, द्वयोर्धर्मयोरेकत्र समावेशस्तु ઉત્તરપક્ષ - તમારી વાત સાચી છે ને ઈષ્ટ પણ છે, કારણ કે અનુચિત રીતે શંકાને દૂર કરવી એ વિદ્વાનોને ઇષ્ટ ન જ હોઈ શકે. તે શંકાને દૂર કરવાની યોગ્ય રીત આ છે - “સૂત્રવિધિથી સંપૂર્ણ-જયણાશીલ અને અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત એવા સાધુથી જે વિરાધના થાય છે તે નિર્જરાફલક હોય છે.” (ઓ.નિ. ૭૫૯, પિં.નિ. ૭૬૦) એવા આગમવચન દ્વારા વિરાધનામાં કર્મનિર્જરાની કારણતા જે કહેલી છે તે અંગેની ચર્ચા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાચકે ધર્મપરીક્ષાગ્રન્થમાં કરેલી છે. એ અધિકાર આવો છે - આ વિરાધના અનાભોગજન્ય કે વર્જનાભિપ્રાયવાળી (હું આ વિરાધનાને વજું એવા અભિપ્રાયવાળી) હોતી નથી. પરંતુ જ્ઞાનપૂર્વકની હોવાથી ઋજુસૂત્રમતે વિલક્ષણ જ હોય છે અને વ્યવહારનયમતે વિલક્ષણ કારણથી સહકૃત હોવાથી કર્મબંધના બદલે કર્મનિર્જરાનું કારણ બને છે. જેમકે ઘડાનું કારણ એવો પણ દંડ જો ઘડો ભાંગવાના અભિપ્રાયથી વપરાય તો ઘટભંગનું કારણ બને છે. (આશય એ છે કે વિરાધના તો કર્મબંધનું કારણ છે પણ જો એ જ્ઞાનપૂર્વક થાય છે, તો એ કર્મનિર્જરાનું કારણ બને છે. આ અંગે ઋજુસૂત્રનય એમ કહે છે કે જ્ઞાનપૂર્વકની વિરાધના એ વિલક્ષણ જ છે = મૂળ વિરાધના કરતાં સાવ અલગ જ વસ્તુ છે ને તેથી નિર્જરાનું કારણ બને છે. વ્યવહારનય એમ કહે છે કે વિરાધના તો એ જ છે પણ સહકારી કારણ બદલાવાથી કાર્ય બદલાઈ જાય છે. એટલે જ્ઞાનપૂર્વકત્વરૂપ સહકારીકારણ મળવા પર એનાથી નિર્જરા થાય છે.) - આ અધિકારમાં ઋજુસૂત્રનયે વિરાધના વિલક્ષણ બની જાય છે એ જણાવ્યું છે.
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy