SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ नयविंशिका-१५ अत्र विषये श्रीमतां हरिभद्रसूरीश्वराणां शास्त्रवार्तासमुच्चयग्रन्थस्य स्याद्वादकल्पलताव्याख्यायां श्रीमद्भिर्यशोविजयवाचकैरेवमुक्तम्-ऋजुसूत्रो द्रव्यमपि नाभ्युपैति, अत एवाद्यास्त्रयो नया द्रव्यार्थिकभेदाः, अग्रिमाश्च चत्वारः पर्यायार्थिकभेदाः इति वादी सिद्धसेनः । अस्मिन्नभ्युपगमे ‘उज्जुसुअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं पुहत्तं णेच्छइ' [अनु. द्वार सू. १५] इतिसूत्रविरोधः स्यादिति सिद्धान्तवृद्धाः । अतीतानागतपरकीयभेदपृथक्त्वपरित्यागाद् ऋजुसूत्रेण स्वकार्यसाधकत्वेन स्वकीयवर्तमानवस्तुन एवोपगमाद् नास्य तुल्यांश-ध्रुवांशलक्षणद्रव्याभ्युपगमः । अत एव नास्याऽसद्घटितभूत-भाविपर्यायकारणत्वरूपद्रव्यत्वाभ्युपगमोऽपि, उक्तसूत्रं त्वनुपयोगांशमादाय वर्तमानावश्यकपर्याये द्रव्यपदोपचारात् समाधेयम्, पर्यायार्थिकेन ઉત્તર : આ બાબતમાં શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજના શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રન્થની સ્યાદ્વાદ-કલ્પલતા નામની વ્યાખ્યામાં શ્રીમદ્ યશોવિજયજી વાચકે આ પ્રમાણે કહ્યું છે - “ઋજુસૂત્ર નય દ્રવ્યને પણ માનતો નથી. એટલે જ પહેલા ત્રણ નો વ્યાર્થિક નયના પ્રકારો છે અને આગળના ચાર પર્યાયાર્થિકનયના પ્રકારો છે.” આ પ્રમાણે વાદસિદ્ધસેનનું કહેવું છે. આવું માનવામાં ‘ઋજુસૂત્રમતે એક અનુપયુક્ત આત્મા એક દ્રવ્યાવશ્યક છે, એ પૃથકત્વ માનતો નથી.” આવું જણાવનાર અનુયોગદ્વારસૂત્રનો વિરોધ થાય છે' એ પ્રમાણે સિદ્ધાન્તવાદી વૃદ્ધ પુરૂષો કહે છે. આ અંગે સિદ્ધસેનસૂરિ મહારાજના મતાનુયાયીઓ આ પ્રમાણે કહે છે કે-ઋજુસૂત્ર સ્વકાર્યસાધક હોવાથી માત્ર સ્વકીય વર્તમાન વસ્તુને જ સ્વીકારે છે... અતીત વસ્તુ, અનાગત વસ્તુ કે પરકીય વસ્તુ કાંઈ પોતાનું કામ કરી આપતી નથી. માટે પોતાને માટે એ વસ્તુ છે જ નહીં. આમ જ્યારે એક સ્વકીય વસ્તુ જ છે, તેથી તુલ્યાંશ(=સાદેશ્યકતિર્યસામાન્ય) રૂપ દ્રવ્યને એ માનતો નથી. તથા અતીત અનાગત વસ્તુ ન હોવાથી ધ્રુવાંશ=ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યને પણ એ માનતો નથી. વળી વાંશ નથી માનવાનો.. એટલે ભૂત-ભાવી પર્યાય એના મતે અસત્ છે અને એ અસત્ છે એટલે ભૂત-ભાવીના કારણ તરીકે જે દ્રવ્ય' કહેવાય છે એને પણ એ સ્વીકારતો નથી. અનુયોગદ્વારનું દ્રવ્યનિક્ષેપસંમતિ જણાવનાર ઉક્તસૂત્રનું સમાધાન “અનુપયોગો દ્રવ્યમ્' ન્યાયે અનુપયોગશને નજરમાં રાખીને કરવું. એટલે કે ઉપયોગશૂન્ય એવો જે વર્તમાન આવશ્યક પર્યાય... એમાં દ્રવ્ય'પદનો ઉપચાર કરીને એને દ્રવ્યનિક્ષેપ કહેવો. પર્યાયાર્થિકનય ‘દ્રવ્ય”નો જે નિષેધ કરે છે તે મુખ્ય (=અનુપચરિત) દ્રવ્યનો જ નિષેધ કરે છે, ઉપચરિત દ્રવ્યનો નહીં. (એટલે ઋજુસૂત્ર પર્યાયાર્થિક હોવા છતાં એ આવા ઉપચરિત દ્રવ્યરૂપ દ્રવ્યનિક્ષેપને સ્વીકારે એમાં એનું પર્યાયાર્થિકપણું બાધિત થઈ જતું
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy