________________
ध्रौव्यांशे सङ्ग्रहापेक्षया नैगम एव बलवान्
न च ध्रौव्यांशेऽपि सङ्ग्रहनयो न निर्बल, सदद्वैतवादिपरसङ्ग्रहनयविषयस्यानादिनिधमत्वसिद्धिसम्भवात्, 'सत् 'त्वेन न किञ्चिदपि कदाचिदप्युत्पद्यते विनश्यति वेतीति वाच्यं, तद्विषयस्यानादिनिधनत्वसिद्धावपि त्वन्मनोरथस्यासिद्धेः । तदसिद्धावेतौ द्वौ हेतू ज्ञेयौ । तथाहि - (१) घट - प्रस्थक- नमस्कारादेः सर्वस्य सत्त्वेन व्यवहारस्य क्वचिदेव कदाचिदेव केनचिदेव तथाविधातिप्रविरलप्रयोजने सति क्रियमाणत्वाद् घटादेर्घट-प्रस्थक- नमस्कारत्वेन व्यवहरतोऽपरसङ्ग्रहस्यैव सङ्ग्रहनये प्रधानत्वम् । अत एव सम्पन्नो व्रीहिः, तदेवौषधं मया गृहीतं... इत्यादयोऽपरसङ्ग्रहनयानुसारिणो व्यवहारा यथा लोके भूयो दृश्यन्ते न तथा 'अयं सन्' इति परसङ्ग्रहनयानुसारी व्यवहारः । अपरसङ्ग्रहसम्मतस्य घटादेर्यावानवस्थानकालस्ततो नैगमसम्मतस्य घटादेरवस्थानकालः सुतरां दीर्घ एव, पिण्डादिकालस्यापि तत्रान्तर्भावादिति नैगमं एव ध्रौव्यांशे प्रबलः । (२) सत्त्वेन स्वविषयमनादिनिधनं मन्यमानस्यापि परसङ्ग्रहनयस्य बलं विशेषाणामेककरण एव, विशेषान् सङ्गृह्णातीति सङ्ग्रह इति व्युत्पत्तेः, પૂર્વપક્ષ ધ્રૌવ્યાંશમાં પણ સંગ્રહનય નિર્બળ નથી. કારણ કે સદ્વૈતવાદી પરસંગ્રહનયનો વિષય અનાદિનિધન હોવો સિદ્ધ થઈ શકે છે, તે પણ એટલા માટે કે સત્ તરીકે કોઈપણ વસ્તુ ક્યારેય પણ નથી ઉત્પન્ન થતી કે નથી નાશ પામતી.
ઉત્તરપક્ષ એનો વિષય અનાદિનિધન હોવો સિદ્ધ થવા છતાં તમારો મનોરથ અસિદ્ધ જ રહે છે. તે અસિદ્ધ રહેવામાં નીચેના બે હેતુ જાણવા. (૧) ઘટ-પ્રસ્થકનમસ્કારાદિ બધાનો સત્ તરીકે વ્યવહાર ક્યારેક જ ક્યાંક જ કોઈક જ એવું અતિપ્રવિરલ પ્રયોજન હોય તો કરે છે. એટલે ઘટાદિનો ઘટ-પ્રસ્થક-નમસ્કારાદિરૂપે વ્યવહાર કરનાર અંપર સંગ્રહ . જ વધુ ઉપયોગમાં આવતો હોવાથી સંગ્રહનયમાં પ્રધાન છે. એટલે જ સમ્પનો પ્રીહિ: (દાણો તૈયાર થઈ ગયો) ‘મેં પણ તે જ ઔષધ લીધું છે' વગેરે અપરસંગ્રહનયને અનુસરનારા વ્યવહારો લોકમાં જે રીતે ઘણીવાર જોવા મળે છે એ રીતે યં સન્-અયં સન્ એમ બધી વસ્તુઓનો પરસંગ્રહનયને અનુસરીને થતો સત્ તરીકેનો વ્યવહાર જોવા મળતો નથી. આ અપ૨સંગ્રહને ઘડો ઘડા તરીકે સંમત છે, નહીં
કે સત્ તરીકે. અને ઘડા તરીકે તો અપરસંગ્રહને જેટલો અવસ્થાનકાળ માન્ય છે એના કરતાં નૈગમનયને માન્ય અવસ્થાનકાળ નિર્વિવાદ અધિક હોય છે, કારણ કે એમાં પિંડાદિનો કાળ પણ સમાવિષ્ટ છે. માટે ધ્રૌવ્યાંશમાં નૈગમ જ પ્રબળ છે. (૨) પોતાના વિષયને સત્ તરીકે અનાદિનિધન માનનાર પરસંગ્રહનયનું જોર પણ વિશેષોના એકકરણમાં જ હોય છે, કારણ કે વિશેષોનો સંગ્રહ કરે તે સંગ્રહનય એવી વ્યુત્પત્તિ છે. તથા
-
२०५