________________
१६८
नयविंशिका - १४
स्वरूपम् । न ह्यात्मनः स्वरूपं नास्ति, केवलममूर्तत्वात् सर्वदा सदपि तत्केवलिनं विहाय न कोऽपि लक्षयति । एवं नमस्कारोऽपि । इत्यतः सर्वदैव सत्त्वादसावादिनैगमाभिप्रायेणानुत्पन्न ૩વ્યત કૃતિ ૨૮૦૮-૨૮૦૬॥ અત્ર ‘તકૂળતા' ત્યસ્ય ‘દ્રવ્યરૂપતા' કૃત્યર્થ:, તત્રેવ पङ्क्तौ पूर्वं 'द्रव्यरूपतया नमस्कारोऽस्तीत्यस्योक्तत्वादिति मिथ्यादृष्ट्यवस्थायां स द्रव्यरूपतयैवास्ति, न तु नमस्काररूपतयेति चेत् ? न, तद्रूपतया तु छद्मस्थस्यापि विषयत्वात्। अयं भावः-‘द्रव्यरूपतया' इत्यस्य 'योग्यतया' इत्यर्थः । मृत्पिण्डे योग्यतया तु घटं न केवलः केवल्येव, छद्मस्थोऽपि कुलालो जानात्येव, अन्यथा वालुकायामिव तत्रापि घटोद्देश्यकप्रवृत्त्यभावापत्तेः। शिल्पी पाषाणे योग्यतया तु मूर्तिं पश्यत्येव । केवलं तत्तदभिलाषप्राबल्याभावकाले नैगमनयदृष्ट्यभावाद् व्यवहारनयेन तौ तत्र घट- मूर्ती न पश्यतः, केवली तु सर्वदैव ते पश्यति । तत्तदभिलाषप्राबल्ये तु तावपि नैगमनयदृष्टिसद्भावात् ते पश्यत एव । अत एवात्मस्वरूपलक्षणदृष्टान्ते छाद्मस्थिकज्ञानविषयत्वस्य योऽभाव उक्तस्तत्रामूर्तत्वं हेतुतयोक्तं,
અમૂર્ત હોવાથી સર્વદા વિદ્યમાન એવા પણ તેને, કેવલીને છોડીને અન્ય કોઈ જાણતું નથી. એ જ રીતે નમસ્કાર અંગે પણ જાણવું. આમ સર્વદા સત્ હોવાથી આ નમસ્કાર આદિનૈગમના અભિપ્રાયે અનુત્પન્ન કહેવાય છે. ૨૮૦૮-૨૮૦૯॥ અહીં ‘તદ્રુપતા’નો (તે રૂપેનો) અર્થ દ્રવ્યરૂપતા (= દ્રવ્યરૂપે) છે, કારણ કે એ જ પંક્તિમાં પૂર્વે ‘દ્રવ્યરૂપે નમસ્કાર છે' એમ કહેલું છે. માટે મિથ્યાત્વી અવસ્થામાં એ દ્રવ્યરૂપે જ છે, નહીં કે નમસ્કારરૂપે...
સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે દ્રવ્યરૂપે તો એ છદ્મસ્થનો પણ વિષય છે. કહેવાનો ભાવ એ છે કે - દ્રવ્યરૂપે = યોગ્યતારૂપે આવો, અર્થ છે. માટીના પિંડામાં યોગ્યતારૂપે ઘડાને માત્ર કેવલી જ નહીં, છદ્મસ્થ એવો કુંભાર પણ જાણે જ છે, નહીંતર તો (જો એ જાણતો ન હોય તો) રેતીની જેમ માટી અંગે પણ ઘડા માટે પ્રયત્ન કરે જ નહીં. શિલ્પી પાષાણમાં યોગ્યતારૂપે તો મૂર્તિને જુએ જ છે. માત્ર જ્યારે એવી પ્રબળ અભિલાષા ન હોય ત્યારે નૈગમનયની દૃષ્ટિનો અભાવ હોવાથી વ્યવહારનયે તે બે જણ (કુંભાર અને શિલ્પી) માટી-પાષાણમાં ઘડો અને મૂર્તિને જોતા નથી. કેવલી તો તે બન્નેને હંમેશા જુએ છે અને જ્યારે તે તેની પ્રબળ અભિલાષા હોય છે ત્યારે તો તે બે પણ નૈગમનયષ્ટિ હાજર હોવાથી તે બેને જુએ જ છે. એટલે જ આત્માના સ્વરૂપાત્મક દૃષ્ટાન્તમાં, છદ્મસ્થ એને જે જાણી શકતો નથી એમાં કારણ તરીકે અમૂર્તતાને