________________
नयविंशिका इह हि सर्वनयमये श्री जैनप्रवचने तत्तद्वाक्यविशेषस्य तत्तन्नयविशेषानुसारितया किं वाक्यं कं नयं पुरस्कृत्य प्रयुक्तमिति सम्यग्निर्णयः कर्तव्यः । तदर्थमनुयोगद्वारेषु चतुर्थं नयद्वारमुपन्यस्तं वर्तते । अतो नयव्युत्पादनमावश्यकम् । यद्वा
इह हि जगति सर्वस्य वस्तुनोऽनन्तधर्मात्मकत्वेन सङ्कीर्णस्वभावतयां तत्परिच्छेदकं प्रमाणमपि तथास्वभावमेवेत्यसङ्कीर्णप्रतिनियतधर्मप्रकारकबोधार्थं तथाव्यवहारार्थं च नयानामेव सामर्थ्यमित्यतोऽपि नयव्युत्पादनमावश्यकम् ।
नन्वागमे सूत्राणां मूढनयिकत्वमुक्तम् । तथाहि - मूढनइयं सुयं कालियं तु न नया समोयरंति इहं । ॥आ.नि. २२७९ ॥ व्याख्यालेशश्चायं - देवेन्द्रवन्दितेभ्य आर्यरक्षितेभ्यः समारभ्य कालिकमुपलक्षणाद् दृष्टिवाद उत्कालिकं च सूत्रं मूढनयिकं = मूढा अविभागस्था
શ્રી જૈનપ્રવચન સર્વનયમય છે. તેનું તે તે ચોક્કસ વાક્ય તે તે નયને અનુસરનારું હોવાથી કયું વાક્ય કયા નયને અનુસરનારું છે ? એનો સમ્યગૂ નિર્ણય કરવો જરૂરી બનતો હોય છે. એ માટે શ્રી અનુયોગદ્વારસૂત્ર આગમમાં ચોથું મયદ્વાર રાખવામાં આવ્યું છે. તેથી નિયવિષયક બોધ વિશદ બને એવું નિરૂપણ આવશ્યક છે.
અથવા, આ વિશ્વમાં સર્વ વસ્તુઓ અનંતધર્માત્મક છે. માટે વસ્તુઓ સંકીર્ણ સ્વભાવવાળી છે. અર્થાત્ વસ્તુઓ નિત્યત્વ અને અનિત્યત્વ, એકત્વ અને અનેકત્વ વગેરે ધર્મોથી સંકળાયેલ છે. એટલે એનો નિશ્ચય કરાવનાર “પ્રમાણ' પણ સંકીર્ણ સ્વભાવવાળું જ હોય છે. તેથી પ્રથમદષ્ટિએ વિરુદ્ધ ભાસે એવા નિત્યસ્વાદિ ધર્મોથી સંકીર્ણ ન થયેલ હોય એવા પ્રતિનિયત અનિત્યસ્વાદિ ધર્મને આગળ કરીને વસ્તુનો બોધ કરવા માટે અને એ રીતે વ્યવહાર કરવા માટે નિયવિષયક બોધને વિશદ કરવો જરૂરી છે. આશય એ છે કે પ્રમાણ તો વસ્તુને નિત્યાનિત્ય જ જણાવી શકે છે. માત્ર નિત્ય કે માત્ર અનિત્ય નહીં. એટલે વૈરાગ્યથી ભાવિત થવા માટે વસ્તુને અનિત્યરૂપે જોવી અને કહેવી હોય તો એ માટે નયની જ જરૂર પડે છે. તેથી નયનું સ્પષ્ટીકરણ થાય એ આવશ્યક છે.
શંકા-આગમમાં તો કાલિક વગેરે સૂત્રોને મૂઢમયિક કહ્યા છે. જેમકે આવશ્યક નિર્યુક્તિ (ગા૨૨૭૯) માં કહ્યું છે કે- “કાલિકકૃત મૂઢનયિક છે, એમાં નયોનો સમાવતાર હોતો નથી. આની વ્યાખ્યાનો જરૂરી અંશ આવો છે – દેવેન્દ્રવદિત શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજથી લઈને કાલિકસૂત્ર તથા ઉપલક્ષણથી દૃષ્ટિવાદ અને ઉત્કાલિકસૂત્ર પણ મૂઢનલિંક છે. અર્થાત્ એમાં નવિભાગ દર્શાવવામાં આવતો નથી. એટલે કે એમાં પદે પદે નયનો સમવતાર કરવામાં આવતો નથી. આમ જો નયોનો સમાવતાર કરવાનો નથી, તો એનું