________________
१२८
नयविंशिका-१४ ततश्च यदि तद् दृष्टमेव तत्र, तदा नोपचरितमित्यपि स्पष्टमेवेति वनगमनप्रयोजनीभूतदादिर्न प्रस्थककारणं न वोपचरितं प्रस्थकमपि तु मुख्यं प्रस्थकमेव । अनुयोगद्वारसूत्रवृत्तौ - 'तथाप्यनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वात् कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनाद्' इत्यादि यदुक्तं, तत्र 'कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनाद्' इत्यंशो 'व्यवहारनयाभिप्रायोऽयं' इत्यभिव्यनक्त्येव, व्यवहारस्य व्यवहारनयाभिप्रायेण प्रवर्तमानत्वात् । तथा 'अनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वात्' इत्यंशो नैगमनयाभिप्रायं स्पष्टं व्यनक्त्येव, 'अनुपचारेणाभ्युपगतानि वस्तून्येव वस्तुनः प्रकारत्वार्हाणी 'तिनियमाद्। इदमुक्तं भवति-यस्य कस्यचिदपि वस्तुनो विभागप्रदर्शनवाक्य उपचारप्राप्तानि वस्तूनि नैव प्रोच्यन्ते । तृणजन्यः, अरणिजन्यः, मणिजन्यश्चेत्येवमग्नौ त्रिविधे प्राप्यमाणे तद्विभागप्रदर्शनवाक्यं 'अग्निश्चतुर्विधः - तृणजन्यो, अरणिजन्यो, मणिजन्यो, माणवकश्चे'त्येवं न कदाचिदप्युच्यते, माणवकस्योपचारेणैवाग्नित्वात्। ननूपचारप्राप्तानि वस्तून्यपि प्रकारतया गण्यतां, को दोषः ? प्रकारेयत्ताया अनैयत्यापत्तिरेव तत्र दोषः, उपचाराणां कारणे कार्यस्य-कार्ये कारणस्य-आधार आधेयस्य-आधेय आधारस्येत्यादिरूपेणानियतत्वात् ।
પ્રસ્થકના કારણરૂપ કે ઉપચરિત પ્રસ્થકરૂપ નથી, પણ મુખ્ય પ્રસ્થકરૂપ જ છે. અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં - “છતાં પણ અનેક પ્રકારની વસ્તુને સ્વીકારવામાં તત્પર હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેવો વ્યવહાર થતો દેખાતો હોવાથી” વગેરે જે કહ્યું છે તેમાં “કારણમાં કાર્યનો ઉપચાર.” વગેરે જે અંશ છે તે “આ વ્યવહારનયનો અભિપ્રાય છે' એવું સૂચવે જ છે. કારણ કે લોકવ્યવહાર વ્યવહારનયને અનુસરનારો હોય છે. તથા “અનેક પ્રકારની વસ્તુને...' વગેરે જે અંશ છે તે નૈગમનયના અભિપ્રાયને
સ્પષ્ટપણે વ્યક્ત કરે જ છે, કારણ કે ઉપચાર વિના મનાયેલી વસ્તુઓ જ વિવક્ષિત વસ્તુનો પ્રકાર બની શકતી હોય છે. કહેવાનો અભિપ્રાય એ છે કે – કોઈપણ વસ્તુના વિભાગોને (પ્રકારોને) જણાવનાર વાક્યમાં ઉપચારથી પ્રાપ્ત વસ્તુઓ કહેવાતી નથી. જેમકે અગ્નિ ખૂણજન્ય, અરણિજન્ય અને મણિજન્ય.... એમ ત્રણ પ્રકારે મળે છે તો એના પ્રકારોને જણાવનાર વાક્ય તરીકે “અગ્નિ ચાર પ્રકારે છે - તૃણજન્ય, અરણિજન્ય, મણિજન્ય અને માણવક આવું વાક્ય ક્યારેય કહેવાતું નથી, કારણ કે માણવક ઉપચારથી જ અગ્નિ છે.
શંકા - ઉપચાર પ્રાપ્ત વસ્તુઓને પણ પ્રકારરૂપે ગણો ને, શું વાંધો છે ?
સમાધાન - પછી તે તે વસ્તુના કેટલા પ્રકાર છે ? એની સંખ્યા જ નિયત ન રહેવી એ દોષ છે. ઉપચાર તો કારણમાં કાર્યનો... કાર્યમાં કારણ . આધારમાં