________________
१२६
नयविंशिका-१४ प्रस्थकद्रव्यमन्वयि' इति निश्चीयते । एतदेव ह्यचंतासामान्यम् । अथ वनगमनप्रयोजनीभूतदार्वाद्यवस्थायां नैगमो प्रस्थकत्वं यन्मन्यते तत्कारणे कार्योपचारादेव, न तु मुख्यं, तदुक्तमनुयोगद्वारसूत्रवृत्तौ- यद्यप्यत्र प्रस्थककारणभूतकाष्ठनिमित्तमेव गमनं, न तु प्रस्थकनिमित्तं, तथाप्यनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वात् कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादेवमप्यभिधत्तेऽसौ 'प्रस्थकस्य गच्छामी 'ति - इति । लोकोऽपि तद्दार्वादौ प्रस्थककारणत्वमेव व्यवहरति, न तु प्रस्थकत्वम् । ततश्च पिंड-स्थासादिष्ववस्थास्वन्वयितयोच्यमानं मृद्रव्यमेव यथा शोभते, न तु घटद्रव्यं, कारणे कार्योपचारात्तत्र घट त्वदर्शनेऽपि, तथा प्रस्तुतेऽपि तद्दार्वादावन्वयितयोच्यमानं काष्ठद्रव्यमेव शोभते, न तु प्रस्थकद्रव्यमिति चेत् ? न, तत्र
જુએ છે ને પછી યોગ્યતામાં = ઉપાદાનકારણતામાં ઉપચાર કરીને પ્રસ્થક તરીકે ઉલ્લેખ કરે છે. પણ આ યોગ્યતા એ જ દ્રવ્ય છે. એ જ ઊર્ધ્વતા સામાન્ય છે. તે આ રીતે - દ્રવ્ય = દ્રવણયોગ્ય = તે તે રીતે ઢળવાને યોગ્ય = તે તે પરિણામરૂપે પરિણમવાને યોગ્ય... નૈગમનય આ યોગ્યતાને જુએ છે. એટલે કે પ્રસ્થકયોગ્યતા એ જ એના મતે પ્રસ્થકત્વ છે ને પ્રસ્થાયોગ્યતા તો વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠાદિમાં રહેલ છે જ. માટે એ બધી અવસ્થામાં નૈગમનય પ્રસ્થકને જુએ છે.
શંકા - વનગમનના પ્રયોજનભૂત કાષ્ઠાદિ અવસ્થામાં નૈગમનય પ્રસ્થકત્વ જે જુએ છે તે કારણમાં કાર્યના ઉપચારથી જ, નહીં કે મુખ્ય (= અનુપચરિત), અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – “જો કે અહીં પ્રસ્થકના કારણભૂત કાષ્ઠનિમિત્તે જ ગમન છે, નહીં કે પ્રસ્થકનિમિત્તે, તો પણ અનેક પ્રકારની વસ્તુને સ્વીકારવામાં તત્પર હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેવો વ્યવહાર થતો દેખાતો હોવાથી આવું પણ એ કહે છે કે પ્રસ્થક માટે જાઉં છું.” લોક પણ એ કાષ્ઠ વગેરેમાં પ્રસ્થકની કારણતાનો જ વ્યવહાર કરે છે, નહીં કે પ્રસ્થત્વનો. એટલે પિંડ-સ્થાસાદિ અવસ્થાઓમાં સંકળાયેલ દ્રવ્ય તરીકે માટીદ્રવ્ય કહેવું જેમ ઉચિત છે, નહીં કે ઘટદ્રવ્ય, પછી ભલે ને કારણમાં કાર્યોપચાર કરીને એ અવસ્થાઓને “ઘટ’ કહી શકાતી પણ હોય. એમ પ્રસ્તુતમાં પણ તે વિવિધ અવસ્થાઓમાં સંકળાયેલ દ્રવ્ય તરીકે કાષ્ઠદ્રવ્ય કહેવું જ ઉચિત છે, નહીં કે પ્રસ્થકદ્રવ્ય..
સમાધાન - આવી શંકા બરાબર નથી. કારણ કે એ વિવિધ અવસ્થાઓને નગમનય ઉપચાર વિના જ મુખ્ય પ્રસ્થક તરીકે જુએ છે. આશય એ છે કે – લોક તો તે કાષ્ઠાદિમાં પ્રસ્થકની કારણતાનો જ મુખ્યતયા વ્યવહાર કરે છે. પ્રસ્થક તરીકેનો