________________
नयविंशिका - १४
इत्थञ्च द्रव्य-पर्याययोर्द्रव्यस्य प्रधानतयाऽऽदौ द्रव्यार्थिका उपन्यस्ताः, तदनन्तरं च
પર્યાયાથિજા:।
अथ द्रव्यार्थिकेष्वपि नैगम आदौ तदनन्तरं सङ्ग्रहः, तदनन्तरं च व्यवहार इत्येवं क्रमे को हेतुरिति चेत् ? शृणु
यथा नित्यानित्यात्मके वस्तुनि नित्यांशं द्रव्यार्थिका गृह्णन्ति, अनित्यांशं च पर्यायार्थिकाः, यथा वा द्रव्यपर्यायात्मके वस्तुनि द्रव्यांशं द्रव्यार्थिकाः, पर्यार्यांशं च पर्यायार्थिका गृह्णन्ति । तथा सामान्यविशेषात्मके वस्तुनि सामान्यांशं को गृह्णाति ? विशेषांशं च क: ? इति विचारणीयम्। तत्र पर्यायार्थिका विशेषांशमेव गृह्णन्ति, गुण- पर्यायाणामनेकतया विशेषात्मकत्वाद् । द्रव्यार्थिकेष्वपि व्यवहारो विशेषमेव गृह्णाति, लोकव्यवहारस्य प्रायो विशेषपरत्वात् । अत्र च ये आदिष्टद्रव्यात्मका विशेषास्तान् व्यवहारो गृह्णाति, ये तु गुण- पर्यायात्मकास्तान्.. પર્યાયાર્થિનાઃ ।
सामान्यं द्विविधम् । तिर्यक्सामान्यं, ऊर्ध्वतासामान्यं च । तत्र तिर्यक्सामान्यं
આમ દ્રવ્ય અને પર્યાયમાં દ્રવ્ય પ્રધાન છે, માટે એને જોનાર દ્રવ્યાર્થિકનયો પ્રથમ કહ્યા છે, અને પછી પર્યાયાર્થિકનયો કહ્યા છે.
હવે, દ્રવ્યાર્થિકનયોમાં પણ પ્રથમ નૈગમનય, પછી સંગ્રહનય અને પછી વ્યવહારનય જે કહ્યો છે તેમાં શું હેતુ છે ? એ સાંભળો.
જેમ નિત્યાનિત્યાત્મક વસ્તુના નિત્યઅંશને દ્રવ્યાર્થિકનયો જુએ છે અને અનિત્ય અંશને પર્યાયાર્થિકનયો જુએ છે... અથવા જેમ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુના દ્રવ્યાંશને દ્રવ્યાર્થિકનયો અને પર્યાયાશંને પર્યાયાર્થિકનયો જુએ છે, એમ સામાન્ય-વિશેષાત્મક વસ્તુના સામાન્ય અંશને કોણ જુએ છે ? અને વિશેષાંશને કોણ જુએ છે ? એ વિચારવું જોઈએ. (કારણ કે દ્રવ્ય-પર્યાયની જેમ સામાન્ય-વિશેષ પણ વસ્તુના અંશરૂપ છે જ.) એમાં પર્યાયાર્થિકનયો વિશેષાંશને જ જુએ છે, કારણ કે ગુણ-પર્યાય અનેક હોવાથી વિશેષાત્મક જ છે. દ્રવ્યાર્થિકનયોમાં પણ વ્યવહારનય વિશેષને જ જુએ છે, કારણ કે લોકવ્યવહાર લગભગ વિશેષપરક હોય છે, આમાં જે આદિષ્ટદ્રવ્યાત્મક વિશેષો છે એને વ્યવહારનય જુએ છે, અને જે ગુણ-પર્યાયાત્મક વિશેષો છે તેને પર્યાયાર્થિકનયો જુએ છે.
સામાન્ય દ્વિવિધ છે. તિર્યક્ઝામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય. એમાં તિર્યક્સામાન્ય એ સંગ્રહનયનો વિષય છે. ઊર્ધ્વતાસામાન્ય કોનો વિષય છે ? એ નૈગમનયનો વિષય છે. એવી મારી ધારણા છે.
१२२
-